દેશના 9 કરોડ લોકોએ મનપસંદ ટીવી ચેનલો નકકી કરી લીધીઃ ટ્રાઈ
ટેલિકોમ રેગ્યૂલેટર સંસ્થા નું કહેવું છે કે દેશમાં 17 કરોડ જેટલા ઘરોમાં ટીવી છે. આમાંના 9 કરોડ ઘરોએ નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત એમની પોતપોતાની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે. ગ્રાહકોને એમની પસંદગીની ટીવી ચેનલો જોવામાં કોઈ તકલીફ કે અવરોધ ન નડે એની પર અમે સતત પૂરી નજર રાખીએ છીએ.
ટેલિકોમ રેગ્યૂલેટરી આેથોરિટી આેફ ઈન્ડિયાના ચેરમેન આર.એસ. શમાર્એ કહ્યું છે કે ગઈ 1 ફેબ્રુઆરીથી લાગુ કરાયેલી નવી ટેરિફ વ્યવસ્થા અપનાવવામાં ઘણી ઝડપ આવી છે. અમને આશા છે કે બાકીના લોકો પણ ટૂંક સમયમાં જ એમની પસંદગીની ચેનલો નાેંધાવી દેશે.
શમાર્એ કહ્યું કે જે 9 કરોડ ગ્રાહકોએ એમની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે એમાં 6.5 કરોડ લોકો કેબલ ટીવી ધારકો છે અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો છે. કુલ 17 કરોડ ટીવી ચેનલ ગ્રાહકોમાંથી 9 કરોડ લોકોએ આેપરેટર પાસે એમની મનપસંદ ચેનલો રજિસ્ટર કરાવી દીધી છે. આ સંખ્યા ઘણી મોટી કહેવાય. ડીટીએચ પ્રી-પેઈડ મોડલ છે. તેથી ગ્રાહકોની લાંબી કે ટૂંકી મુદતનાં પેક સમાપ્ત થશે કે એ લોકો પોતપોતાની ચેનલ પસંદ કરી લેશે. જ્યાં જરુર લાગે છે ત્યાં અમે આેપરેટરોને મદદ કરી રહ્યાં છીએ અને એમને માર્ગદર્શન આપી રહ્યાં છીએ. તકલીફો દૂર થાય એ માટે અમે નિયમિત બેઠકો પણ યોજી રહ્યાં છીએ, એમ શમાર્એ કહ્યું.
ગ્રાહકો સુધી રેગ્યૂલેટર એજન્સીની પહાેંચ વધી રહી છે અને એ માટે એજન્સી જાગરુકતા ઝુંબેશ ચલાવી રહી છે. એ માટે સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, જાહેરખબર તથા અન્ય કાર્યક્રમોનો સહારો લેવામાં આવશે.
ટેલિકોમ રેગ્યૂલેટરી આેથોરિટી આેફ ઈન્ડિયાનું કહેવું છે કે અમે ટીવી આેપરેટરોને ટીવી કનેક્શન રાખનારાઆેને વિશેષ સ્કીમ તથા પ્લાન ઉપલબ્ધ કરાવવાની યોજના પર પાછાં ફરવા પણ જણાવાયું છે. ધારો કે ગ્રાહકો ઈચ્છે તો આેપરેટરે એક જ ઘરની અંદર અલગ અલગ સેટ ટોપ બોક્સ પણ લગાડવા દેવા. તાજેતરમાં એક અહેવાલમાં એવું જણાવાયું હતું કે નવી રેગ્યૂલેટરી વ્યવસ્થાને કારણે ટીવી જોવા માટેનો ખર્ચ (કેબલ અને ડીટીએચ બિલની રકમ) 25 ટકા વધી જશે. પણ ટ્રાઈનાં ચેરમેન શમાર્એ આને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં તો કિંમત ઘટી ગઈ છે.