વર્ષના અલ્તાફ યુનુસ હિંગોરા સાથે કોઇ માથાકુટ થવા પામી હતી. તેમાં ગઇકાલે મહુવાના એસ.ટી. ડેપોમાં અલ્તાફ યુનુસ હિંગોરાએ જાવેદ યુુસુફ હાલારીને સમાધાન માટે બોલાવતા યાં સમાધાનની વાત એક બાજુ પર રહી પરંતુ વાતાવરણમાં ઉશ્કેરાટ ફેલાતા અલ્તાફ યુનુસહિંગોરાએ છરી વડે જાવેદ યુસુફ ઉપર હુમલો કરી મોત નિપજાવ્યું હતું. આ હત્યામાં અન્ય બે આરોપીઓ નઇમ હારૂન હાલારી અને જાવેદ યુનુસ હિંગોરાએ પણ મદદગારી કરી હતી. યુવાનની હત્યા બાદ આ ત્રણ આરોપીઓ નાસી છૂટા હતા.
દરમ્યાનમાં મહુવાના ડીવાય.એસ.પી.ને મળેલી બાતમીના આધારે તપાસનીશ પી.એસ.આઇ. આર.કે. સોલંકી અને સ્ટાફે ફરારી ત્રણ હત્યારાઓને ઝડપી લઇ રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.
|