Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૬/૦૪/૨૦૧૨ (શુક્રવાર)
 

જૈન મૂનિની અગ્નિસ્નાનની ચીમકીના પગલે સુખદ સમાધાન થતાં તંત્રને હાશકારો

     
 
 
Top of page

પાલિતાણામાં કતલખાના અને માસ–મટનના વેચાણ સંદર્ભે અચોક્કસ મુદતના અનશન પર બેઠેલા જૈન મૂનિએ અિસ્નાન કરી લેવાની આપેલી ચીમકીથી આજે અંતિમ દિવસે જિલ્લા વહિવટી તંત્રને ગાંધીનગરના દિગ્ નેતાઓ પણ હચમચી ઉઠા હતા. કારણ કે આજે જૈનમૂનિ મૈત્રપ્રભસાગર મ.સા. પોતાની માંગ પૂરી ન થાય તો જાહેરમાં આત્મવિલોપન કરવાના હતા. પરંતુ જિલ્લા કલેકટર, એસ.પી. અને અધિક જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને નેતાઓની દરમ્યાનગીરીથી સુખદ સમાધાન થતાં તંત્રને હાશકારો થયો છે.
જૈન મૂનિ મૈત્રીપ્રભસાગર મ.સા. સાથે જિલ્લા કલેકટર ડી.જી. ઝાલાવાડિયા, એસ.પી. વી.ચંદ્રશેખર, આર.ડી.સી. જગદિશ ત્રિવેદી, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદી, પાલિતાણાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સહિતનાએ મુલાકાત લઇને તેમને સમજાવ્યા હતા. છેલ્લા ૪ દિવસથી ચાલતા સમજાવટના પ્રયાસોમાં આજે તંત્રને સફળતા મળી હતી અને નગરપાલિકાની હદમાં સાડાચાર કિ.મી. ત્રિયામાં આજથી જ માસ મટન વેચાણ અને કતલખાના પર પ્રતિબધં ફરમાવવાની વાતનો જૈન મૂનિએ સ્વીકાર કર્યેા હતો. તો બીજી બાજુ વહિવટી તંત્રએ પણ તેમની માંગણી મુજબ ૯ કિ.મી.માં પ્રતિબધં લાદવા જરૂરી કાર્યવાહી શરૂ કરીને આગામી બે માસમાં યોગ્ય કરી દેવાની ખાતરી ઉચ્ચારી હતી. આથી અનશન અને જાહેરમાં આત્મવિલોપન કરવાના કાર્યક્રમનો સુખદ અતં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા આ વિવાદીત મુદ્દાને અંતે સુખદ સમાધાન આવતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો. જો સમાધાન ન થયું હોત તો આજે સાંજના જૈન મૂનિ મૈત્રીપ્રભસાગર મ.સા. જાહેરમાં આત્મવિલોપન કરવાના હતા અને આ ઘટનાને પગલે જૈન સમાજમાં ભારે ઉત્તેજના છવાયેલી હતી. આથી વહિવટી તત્રં આજે છેલ્લા દિવસે ભારે ખરાબ સ્થિતીમાં મૂકાયું હતું. પરંતુ સમગ્ર વિવાદનો અતં આવતા હવે ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ અને જિલ્લા વહિવટી તંત્રને રાહત મળી છે. આવતીકાલે જૈન મૂનિ મૈત્રીપ્રભસાગર મ.સા. પારણા કરશે તેમ તેમના સમર્થક દિપકભાઇ શાહે 'આજકાલ' દૈનિક સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. પરંતુ અનશનની છાવણી આજે જ મૂનિ મહારાજ છોડી દેશે તેમ તેઓએ ઉમેર્યુ હતું. આમ, જૈન સમાજમાં વ્યાપણેલી ચિંતાભરી સ્થિતીનો અતં આવ્યો છે.

cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

મહુવામાં યુવતિને ભગાડી જવાના મુદ્દે પિતા–પુત્ર ઉ૫ર કરાયેલો હુમલો

  ચોગઠમાં મોડીરાત્રે બુકાનીધારી તસ્કર ટોળકી ત્રાટકી : ૧પ થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા
  સિહોરના વળાવડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ : બે જુથો વચ્ચે સશક્ર મારા મારી
  વેળાવદર નજીક ટ્રકે અડફેટે યુવાનનું ઘટના સ્થળે મોત
  ટીંબી ગામે મારૂતિ ગેસ એજન્સીમાં પુરવઠાનો દરોડો : ૪૮ બાટલા સીઝ
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.