આજે વહેલી સવારે આશ્રમરોડ પર આવેલી કુણાલ રેસ્ટોરન્ટમાં ભીષણઆગ ફાટી નીકળતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આગમાં બે લાખથી પણ વધુનું નુકસાન થયું હોવાનું ફાયરબિ્રગેડના સૂત્રોએ જણાવ્યું છે. જોકે સદનસીબે આગને કારણે કોઈ જાનહાનીથવા પામી ન હતી. વિગતવાર માહિતી એવી છે કે આજે સવારે કુણાલ રેસ્ટોરન્ટમાં સોર્ટસર્કીટને કારણે ભીષણઆગ લાગી હતી. આગને પગલે નજીકમાં આવેલી કોલેજના વિદ્યાર્થીઓએ ભારે ભાગ દોડ મચાવી દીધી હતી. ઘટનાની જાણ થતા ફાયબિ્રગેડનો કાફલો દોડી આવ્યો હતો. ફાયબિ્રગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી લીધી હતી. આગમાં ર્ફિનચર, કોમ્પ્યુટર અને ટેલિફોન તેમજ ખાણીપીણીની વસ્તુ સહિત ૨ લાખથી પણ વધુનો સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેથી આશ્રમરોડ પર ટ્રાફિક પણ ભારે ચક્કાજામ થઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.