ભાવનગર પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન અપમૃત્યુના ત્રણ બનાવો બનવા પામ્યા છે. જેમાં વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માટીની ભેખડ હેઠળ એક સગીરાનું દબાઈ જવાથી મોત નિપ્રયું હતું.
વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે રહેતા દેવીપૂજક ભોપાભાઈ કાળુભાઈ વાઘેલાની ૧૫ વર્ષની પુત્રી કાજલ ગઈકાલે બપોરે તેના ઘરની ગાર બનાવવા માટે ગામના ડુંગર નજીક માટી ખોદવા ગઈ હતી ત્યારે અચાનક માટીની ભેખડ ઘસી પડતા કાજલ ડટાઈ જતા ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. યાં પાછળથી તેણીનું મોત નિપયું છે. આ અંગે રતનપર ઓ.પી.ના હે.કો. ટી.એમ. ગોહિલે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં બુધેલ ગામ પાસે મુસ્લીમ જણાતા એક અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષની વયના પુરૂષનો મૃતદેહ મળી આવતા વરતેજ પોલીસે આ અજાણ્યા પુરૂષના મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ. માટે દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજી ઘટનામાં ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ૧૭ વર્ષના વિનોદ વેલજીભાઈ ડુમાણીયાએ કોઈ અકળ કારણોસર તેના ઘેર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાતા યાં તેનું સારવાર દરમિયાન મોત નિપયું છે.
|