મુખ્યમંત્રી મોદીના આગમનના પગલે તિર્થનગરી પાલિતાણા પચરંગી બની ગઈ હતી. મુખ્યમંત્રીને આવકારવા જુદી–જુદી જ્ઞાતિના લોકોએ પરંપરાગત ગામઠી પહેરવેશમાં ભારે આકર્ષણ ઉભુ કર્યુ હતું. અહીં ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રીના આગમનના પગલે તિર્થનગરી પાલિતાણામાંથી ગંદકી દૂર કરી સ્વચ્છ અને સુભગ નગરી બનાવાઈ હતી અને તિર્થનગરીને શણગાર સજવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રીના આગમનના પગલે શણગારેલા બળદગાડા અને ગામઠી પહેરવેશમાં રહેલા લોકોએ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. જુદી–જુદી જ્ઞાતિના લોકોએ પરંપરાના વક્રો ધારણ કરી એક અલગ જ માહોલ ખડો કર્યેા હતો. ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અને પ્રદર્શન સાથે પાલિતાણા પચરંગી બની ગયું હતું