ભાજપ દ્વારા યોજાયેલી કિસાન હિત યાત્રાનું રાપર અને ભચાઉમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બોલતા પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ કિસાનોના હિતનું રક્ષણ કરે તે જ સાચો સત્તાધિકારી તેમ જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પર તાતા તીર વરસાવ્યા હતા. કેન્દ્ર સરકાર ખેડૂતોને અન્યાય કરે છે. કપાસ નિકાસબંધીથી કરી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. દેશના ૪પ્ ટકા જેટલું કપાસનું ઉત્પાદન એકલું ગુજરાત કરે છે ત્યારે કેન્દ્ર સરકારની મનમાની ચલાવી નહિં લેવાય. તેમણે કેન્દ્રને આડા હાથે લેતા જણાવ્યું કે, કેન્દ્ર શાસિત રાજયોમાં પણ ખેડૂતોન હાલત ખરાબ છે. જયારે રાજય સરકારે ખેડૂતોને વીમા કવચ આપ્યું છે. આવતા વર્ષથી ખેડૂતોના સમગ્ર પરીવારના રૂા. ૧ લાખનું વીમા કવચ અપાશે.કેન્દ્રની નીતિના કારણે દર વર્ષે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેથી રાજય સરકારે કિસાનોના હિત જળવાય અને તેમને વિવિધ યોજનાઓથી જાણકારી મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કર્યું છે.
આ પ્રસંગે કચ્છી મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ પુનમબેન જાટ, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ ભાનુશાલી, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, તારાચંદ છેડા, પંકજભાઈ મહેતા, ચણાસ્માના ધારાસભ્ય રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભચાઉ ખાતે ભચાઉ શાસક પક્ષના નેતા વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તા.પં.પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાઘજીભાઈ પ્રજાપતી, ભચાઉ વેપારી એસો.ના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, ન.પા.પ્રમુખ હરભમભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, નામેરીભાઈ, પ્રદિપસિંહ વાઘેલા, વિકાસ રાજગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા.
જયારે રાપરમાં તા.પંપ્રમુખ ગંગાબેન ગોહિલ, જી.પં. સદસ્યો રમેશ દાદલ, કાનજીભાઈ ગોહિલ, મહાદેવ જોગુ, વીરજી મોર, હમીરજી સોઢા, પુંજાભાઈ ચૌધરી, બળવંત ઠક્કર, વાઘજી પ્રજાપતિ, કમલસિંહ સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, નાનજી ઠાકોર, વેલજીભાઈ રાઠોડ, રશ્મીન દોશી, મુકેશ ચૌધરી, ડોલરરાય ગોર, વાઘજીભાઈ પટેલ, નારાણભાઈ ચૌધરી, અંબાવીભાઈ વાવીયા, પ્રદિપસિંહ સોઢા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.