ગાંધીધામ ઃ ભચાઉ રેલ્વે સ્ટેશન બહાર કાર - રીક્ષા વચ્ચે સામાન્ય અકસ્માતનું મનદુઃખ રાખીને ૧૦ થી ૧પ શખ્સોએ ભુજથી બોમ્બે જતી ટ્રેન કોચ નં. એસ ૮ માં યુવાનને લાકડી અને પાઈપ વડે માર મારીને ઈજાઓ પહેાચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની ગાંધીધામ રેલ્વે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભચાઉમાં સ્વામીનારાયણ સત્સંગ હોલ સામે રહેતા દિલીપભાઈ કરશનભાઈ ઠક્કર બોમ્બે જવા માટે તેના ભાઈની કારમાં રેલ્વે સ્ટેશન પર આવ્યા હતા અને સ્ટેશન બહાર કાર - રીક્ષા સાથે અથડાઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ રીક્ષા ચાલકએ ફોન પર બનાવની જાણ તેના લાગતા વળગતાઓને કરી હતી. દરમ્યાન દિલીપભાઈ ઠક્કર બોમ્બે જવા ભુજ - બોમ્બે ટ્રેનના કોચ નં. એસ - ૮ માં બેઠા હતા ત્યારે ૧૦ થી ૧પ અજાણ્યા શખ્સોએ લાકડી અને પાઈપ વડે માર મારી ઈજાઓ પહોચાડી હતી.
ચાલુ ટ્રેનમાં આ ઘટના બનતા ભોગ બનનાર દિનેશભાઈએ સામખિયાળી ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ અહીં ફરીયાદ થઈ ન શકે તેમ હોય વીરમગામ રેલ્વે પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી ત્યાંથી ઝીરો નં. ફરિયાદ ગાંધીધામ રેલ્વે પોલીસમાં આપી હતી.
રેલ્વે પોલીસે ભોગ બનનાર ફરીયાદના આધારે હુમલો કરનાર અજાણ્યા ૧૦ થી ૧પ શખ્સો સામે રાયોટીંગ તળે ગુન્હો નેાંધી વધુ તપાસ ધીરજલાલભાઈ હાથ ધરી હતી.
|