વાગડ પંથકમાં છેલ્લા બે દિવસમાં ભુકંપ ના દસ હળવા આંચકા અનુભવાયા છે. જેની રિકટર સ્કેલ પર ૧.૩થી ર.૭ની તીવ્રતા આંકવામાં આવી હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
ભચાઉથી પ૦ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં શુક્રવારની સવારે રની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી ર૦ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં ગુરૂવારની સાંજે ૬.રર મિનિટે ર.૭ની વામકાથી રપ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં રાત્રે ૯ઃ૧૧ મિનિટે રની અને ભચાઉથી ૧૮ કિ.મી. દૂર ઉત્તર-પશ્ચિમમાં રાત્રિના ૯ઃપપ મિનિટે ર.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
છેલ્લા બે દિવસમાં ભુકંપના દસ આંચકા અનુભવાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. દસમાંથી નવ આંચકા ભચાઉ પંથકમાં અનુભવાયા છે. આંચકાઓની સંખ્યામાં થતો વધારો ભુસ્તર શાસ્ત્રીઓ માટે સંશોધન જરૂરી બની રહ્યું છે.
આમ ભચાઉ પંથક ભૂકંપ માટેના ડેન્જર ઝોનમાં હોવાની નિષ્ણાતોની વાતને આ આંચકાઓથી સમર્થન મળી રહ્યું છે. ર૦૦૧માં પણ ભુકંપના કારણે સૌથી વધુ નુકસાન ભચાઉ પંથકમાં થયું હતું.