વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક આવેલ સમુદ્રમાં ગઈકાલના બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૨.૩ની તિવ્રતાનો ભૂકપં નોંધાયો હતો. ભૂકંપના આચંકા દરમિયાન સમુદ્રમાં મોજાઓ જોરજોરથી ઉછળતા લાગ્યા હતાં અને પાણી ઝડપથી ઉપર ઉછળવા લાગ્યું હતું. સમુદ્રી પાણીની આ હલચલને ત્યાંના લોકોએ રોજીંદી ભરતી ઘટના સમજીને એકવાર નજરઅંદાજ કરી હતી પરંતુ ગણતરીની ક્ષણોમાં જ શાંત થયેલા સમુદ્રને જોઈ લોકો સમજી ગયા કે આ ઘટના ભરતીની નથી. તેમજ દરિયા કિનારે વસેલા કોસંબા ગામમાં ભૂકંપના કારણે એક કાચું મકાન ધરાશાયી થયા ના પણ સમાચાર છે. જો કે નિષ્ણાંતો દ્રારા તેની પુષ્ટ્રિ થઈ રહી નથી. પરંતુ સમુદ્રમાં આવેલ ભુકંપને કારણે કિનારે વસતા લોકોમાં ભયનો માહોલ છવાય ગયો છે.
વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર અધિકારી છે. એચ.પરમારે ઉમરગામના ફડસા સમુદ્રમાં બપોરના ૧૨.૨૨ મીનીટે ૨.૩ની તિવ્રતાના ભૂકંપના આંચકા આવ્યાની પુષ્ટ્રિ કરી છે. ડિઝાસ્ટર અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનાથી કોઈ જાનમાલ ના નુકસાનના અહેવાલ નથી. જિલ્લા પ્રશાસન સ્તરે પણ આ ઘટનાની જાણકારી અપાઈ હતી.