રાયભરમાં જંત્રી–૨૦૧૨ માટે રિ–સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલ–૨૦૧૨ની જંત્રીના અમલ પૂર્વે તા.૨૫ જાન્યુઆરી સુધીમાં સર્વે પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઇ નથી. પરિણામે મહેસૂલ વિભાગના અધિકારીઓ ધોંસ બોલાવતા હોવાની વિગતો બહાર આવી છે. જંત્રી–૨૦૧૨નો અમલ વિલંબીત થાય તેવા સ્પષ્ટ્ર સંકેતો મળી રહ્યા છે.
રાયની આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં અંદાજે ૫૦થી ૬૫ ટકા જેટલી જ કામગીરી થવા પામી છે. યારે ગ્રામિણ વિસ્તારમાં સર્વેના ફોર્મ માંડ ઉપડયા છે. રાયમાં પંચાયત અને રેવન્યુ તલાટી સંવર્ગને એક સમાન બનાવવાની વાત રાયમાં ચાલી રહી છે. પંચાયતના તલાટીઓ દ્રારા વારંવાર સર્વેના મામલે વિરોધ ઉઠાવે છે. જો પંચાયત અને રેવન્યુ તલાટી એક સંવર્ગમાં સમાવી દેવામાં આવે તો એક કાંકરે બે પંખી મરે. આ કંકાસના નિવારણનો એક માત્ર આ ઇલાજ હોવાનું સરકારનું સ્પષ્ટ્ર માનવું છે.
ગ્રામિણ વિસ્તારમાં જંત્રીની કામગીરી સમયસર શરૂ ન થઇ શકી જેની સીધી અસર જંત્રીના સર્વે પર જોવા મળી છે. સર્વે સમયસર થાય તે માટે સર્વે કરનારને રૂા.૧૫૦૦ અને ડેટા ઓપરેટરને રૂા.૨૫૦૦ આપવાની જાહેરાત કરી આમ છતાં નિર્ધારિત સમય મર્યાદામાં જંત્રીનો અમલ થાય તેવી શકયતા નહીંવત લાગી રહી છે.
મહાનગરપાલિકાઓમાં ૫૦થી ૬૫ ટકા જ કામગીરી થઇ છે. યારે ગ્રામીણ વિસ્તારમાં માત્ર ૫૦ ટકા જેવી કામગીરી થવા પામી છે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. ડેટા ઓનલાઇન ઉપલબ્ધીના ક્ષેત્રે હજુ નિર્ધારિત દિશામાં મંડાણ થયા જ નથી.
રાય સરકાર દ્રારા ૧લી એપ્રિલ ૨૦૧૧ની જંત્રીની જાહેરાત એવા એ જ દર વર્ષે આ જંત્રીના દર સુધારવામાં આવશે તેવું જણાવેલ પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રીસર્વેનો મામલો ગુંચવણે ચડતા ૨૫ જાન્યુઆરી સુધીમાં સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવાનો લયાંક જાળવી શકાયો નથી. આથી એપ્રિલ–૨૦૧૨થી નવી સુધારેલી જંત્રી આવશે કે કેમ ? તે કહેવું ઉતાવળું છે.