Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૧૮/૦૫/૨૦૧૩ (શનિવાર)
 
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો અપાશે
 
 
 

રાજ્યની તમામ સરકારી અને બિનસરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમોના ધોરણ-9થી 12માં ભણતા અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા/વાલીની વાર્ષિક આવકની મયર્દિાને ધ્યાને લીધા વિના વિનામૂલ્યે, સરળતાથી પાઠયપુસ્તકો મળી રહે તેવો મહત્વનો નિર્ણય શિક્ષક વિભાગે લીધો છે.
અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચના વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક દ્રષ્ટિએ પછાત હોવાથી પાઠયપુસ્તકોનો બોજો આવા પરિવારો પર ન પડે તે માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2013-14ના બજેટમાં પૂરતી નાણાકિય જોગવાઇ કરવાનું સૂચવતા શિક્ષણ વિભાગે ચાલુ વર્ષના બજેટમાં ા.72.82 કરોડની જોગવાઇ કરીને આ વિદ્યાર્થીઓને પુસ્તકો આપવાનો નિર્ણય લીધો હોવાનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું છે. રાજ્યના જરીયાતમંદ વિદ્યાર્થીઓના વિશાળ જનહિતને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મયર્દિા ધ્યાનમાં લીધા સિવાય ધોરણ-9થી 12ના પાઠયપુસ્તકો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અને સમયસર મળી રહેવાના હોવાથી આવા વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓને બજારમાંથી પુસ્તકો નહીં ખરીદવા અપીલ કરી છે.
ઉપરોકત વર્ગોમાં આવતા રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓમાંથી ધોરણ-9ના ભણતા ગુજરાતી માધ્યમના 4.09 લાખ, અંગ્રેજી માધ્યમના 5,564 અને હિન્દી માધ્યમના 4202 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ-10ના ગુજરાતી માધ્યમના 3.99 લાખ અંગ્રેજી માધ્યમના 4541 અને હિન્દી માધ્યમના 2168 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ-11માં ગુજરાત માધ્યમના 1.79 લાખ, અંગ્રેજી માધ્યમના 4000 અને હિન્દી માધ્યમના 2287 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ-12ના ગુજરાતી માધ્યમના 1.68 લાખ, અંગ્રેજી માધ્યમના 4404 અને હિન્દી માધ્યમના 2640 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની ઇ.ડી.એન. અંગેની ખાસ અંગભૂત યોજના અન્વયે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના વિદ્યાર્થીઓની વાર્ષિક આવક ધ્યાનમાં લઇ પાઠયપુસ્તકો આપવાની યોજનામાં અમલમાં હતી. પરિણામે અનેક વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત રહેતા હતા તેને ધ્યાનમાં લઇ રાજ્યના આવા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે તે હેતુથી શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે.
આ યોજના અન્વયે ચાલુ વર્ષે સરકારી અને અનુદાનિત માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12માં અભ્યાસ કરતાં ઉપરોકત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શ થાય તે પહેલા જ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ ખાતે પાઠયપુસ્તકો મોકલી આપવાનું આયોજન કરાયું છે.

 
Top of page

 

NyS>fps_p AÞe kdpQpfp¡
 

 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.