સિદસર : સિદસરના ઉમિયા ધામમાં યોજાયેલા રજત જયંતી સમારોહમાં બોલતાં રાયના પૂવરઠા મંત્રી નરોત્તમભાઇ પટેલે કડવા પાટીદારોની એકતાના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે સમાજના ઘડતરમાં કડવા પાટીદારોએ અમુલ્ય ફાળો આપ્યો છે. તેમણે કણબીની પાછળ કરોડો એવું એક સૂત્ર પણ આપ્યું હતું. નરોત્તમભાઇએ કહ્યું હતું કે, કણબી એટલે કે પટેલોએ કયારેય કોઇ પાસે હાથ ફેલાવ્યો નથી પરંતુ જાત મહેનતથી અનાજ ઉગાડીને કરોડો લોકોને અન્ન આપ્યું છે. આમ, ખરા અર્થમાં કણબી સમાજની બહત્પ મોટી સેવા કરે છે. મંત્રી નીતિનભાઇ પટેલે આ સમારોહમાં કડવા પાટીદારોના સંગઠનની સરાહના કરી હતી. તેમણે રજત જયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ પાંચ દિવસના આયોજનના ભરપૂર વખાણ કર્યા હતાં અને આયોજકોને અભિનંદન પણ આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજે સમાજને ઘણું આપ્યું છે અને હજુ આપતાં રહેશે. મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે આ સમારોહમાં ીભ્રુણ હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાય સરકારે ીભ્રુણ હત્યા અટકાવવા માટે અસરકારક પગલા લીધા છે અને રાયમાં સેકસ રેશિયો સમાન કરવા માટે પણ સતત પ્રયત્નશીલ છે. આ સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુએ વિવિધતામાં એકતાં હોવાનું જણાવી પાટીદારોએ સમાજમાં સંસ્કારોનું સિંચન કયુ હોવાનું જણાવ્યું હતું.