૨૦૦૨ના રમખાણોની તપાસ કરનાર સીટે ૨૮મી ફેબ્રુઆરીએ વિહિપ દ્રારા આપવામાં આવેલા બંધના એલાનને મંજૂરી આપવાના ગુજરાત સરકારના પગલાંને અયોગ્ય ઠેરવ્યું છે.
વિહિપની આગેવાની હેઠળ ૨૮ ફેબ્રુઆરીએ કારસેવકોની હત્યાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું. સીટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, રાયના પૂર્વ પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમારે નરેન્દ્ર મોદી સરકારે આ બંધને રોકવા માટે કોઇ પગલાં લીધા નથી તેવો જે આક્ષેપ કર્યેા છે તે આપોઆપ સાચો ઠરે છે. સીટે જણાવ્યું છે કે, કેરાલા હાઇકોર્ટે બધં અને હડતાલોને ગેરકાયદેસર ગણાવ્યું હોવા છતાં ગુજરાત સરકારે આ બધં ઉપર પ્રતિબધં મુકવા માટે કોઇ જાહેરનામું બહાર પાડયું ન હતું. કેરલ હાઇકોર્ટનો ચુકાદો આખા દેશને લાગુ પડે છે અને આ કારણોસર સરકાર પર જે આક્ષેપ થયા છે તે સાચા ઠરે છે. જો કે આ કારણોસર એવું સાબિત થતું નથી કે બંધના એલાન પછી જે તોફાનો થયા છે તે સરકાર પ્રેરિત હતા. રાય સરકારે બંધના એલાનને મંજૂરી આપવાના પોતાના નિર્ણયમાં બચાવમાં એવું કહ્યું હતું કે નાગરિકોને મળેલા મુળભુત અધિકારોને ધ્યાનમાં રાખીને સરકારે આ બધં ઉપર પ્રતિબધં મુકયો ન હતો. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે બંધના દિવસે રાયમાં વ્યાપકપણે તોફાનો થયા હતા અને અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૮ને જીવતા સળગાવી દેવાયા હતા.