ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ચીનના વડાપ્રધાન લી કીકીયાંગ સમક્ષ ભારતના વડાપ્રધાન મનમોહનસિંઘે લદાખમાં ચીની સેનાએ કરેલી ઘુસણખોરી ઉપર ચિંતા દશર્વિી હતી. ગઇકાલે ભારતની મુલાકાતે આવેલા ચીની વડાપ્રધાન લી કીકીયાંગે મનમોહનસિંઘના નિવાસસ્થાને યોજાયેલા ભોજન સમારોહમાં આ મુદ્દે ચચર્િ કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે ચીની સેનાની ઘુસણખોરીને કારણે બન્ને દેશ વચ્ચે અરસપરસ વિશ્ર્વાસ ઘટયો છે અને આ વિશ્ર્વાસ કાયમ કરવા માટે ચીને સકારાત્મક પગલા ઉઠાવવા જોઇએ.
આજે મનમોહનસિંઘ અને લી કીકીયાંગ વચ્ચે સત્તાવાર મંત્રણા થશે. તાજેતરમાં જ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને ભારત અને ચીન વચ્ચે ત્રણ અઠવાડિયા સુધી ગરમાવાનો માહોલ રહ્યો હતો. વિવાદનો ઉકેલ લાવવા ઉપરાંત ચીન સાથે સંબંધો સુધારવાની દિશામાં પણ પ્રયાસો શ થઇ ગયા હતાં. વિદેશ મંત્રી સલમાન ખુરશીદે બીજીંગનો પ્રવાસ કર્યો હતો બીજી બાજુ પોતાના ભારત પ્રવાસ પહેલા લી કચ્છયાંગે બીજીંગમાં ભારતના યુવા પ્રતિનિધિમંડળની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે દુનિયામાં ઘણા લોકો એવું વિચારે છે કે 21મી સદીમાં એશિયા વિશ્ર્વ અર્થવ્યવસ્થાનું ખાસ એન્જીન બની રહેશે. આ સપ્નું સાકાર કરવા માટે બન્ને દેશોએ એક સાથે ઉભુ રહેવું પડશે અને એકબીજા સાથે સંકલન સાધવું પડશે.
મનમોહનસિંઘે યોજેલા ભોજન સમારોહમાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘ યાદવ, રાહલ ગાંધી, કેબિનેટ મંત્રીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં. આજે યોજાનારી દ્વિપક્ષીય વાતચીતમાં ફરીથી આ મુદ્દો ચચર્યિ તેવી શક્યતા છે.
|