ક્રિકેટરો સાથેનો કરાર રદ કરતું રાજસ્થાન રોયલ્સ: આજે વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે
આઇપીએલ સ્પોટ ફિક્સિગંમાં પકડાયેલા ત્રણ ક્રિકેટરો સહિત 14ના રિમાન્ડ આજે પૂરા થઇ રહ્યા છે અને તેઓને વધુ રિમાન્ડની માગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સે શ્રીસંથ, અજીત ચંદીલા અને અંકિત ચવ્હાણ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે. આ સ્પોટ ફિક્સિગંમાં એક મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકરનું નામ પણ સામે આવ્યું છે. આ અભિનેત્રી ક્રિકેટરો માટે બુકીઓ પાસેથી નાણાં ઉઘરાવતી હોવાનું પોલીસ માની રહી છે.
દિલ્હી પોલીસે ત્રણેય ક્રિકેટરો અને 11 બુકીઓને સાકેત કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં. આ રિમાન્ડ દરમિયાન તમામની સાથે અને અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન પોલીસને અનેક મહત્વની માહિતીઓ મળી છે પરંતુ પોલીસ માની રહી છે કે હજુ વધુ પૂછપરછ કરવાની જરિયાત છે.
આ કારણોસર આજે આ તમામને વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
દરમિયાન રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટે ત્રણેય ક્રિકેટરો સાથેનો કરાર રદ કરી નાખ્યો છે. રાજસ્થાન રોયલ્સે શ્રીસંથને બે કરોડમાં ખરીદયો હતો અને અજીત ચંદીલાને 15 લાખમાં જ્યારે અંકિત ચવ્હાણને 10 લાખ પિયામાં ખરીદયો હતો.
બીજી બાજુ પોલીસને એવી શંકા છે કે એક મરાઠી અભિનેત્રી શ્રીસંથ જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાં તેને મળવા આવી હતી. પોલીસ એવું માને છે કે આ અભિનેત્રી શ્રીસંથની અત્યંત નજીક છે અને તે બુકીઓ પાસેથી નાણાં ભેગા કરવાની જવાબદારી સંભાળતી હતી. મુંબઇ પોલીસને સીસીટીવીના ફૂટેજમાંથી પણ આ મરાઠી અભિનેત્રીના પુરાવા મળ્યા છે.
આ અભિનેત્રી અનેક ટીવી સીરીયલ અને બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ધરપકડ પહેલા આ અભિનેત્રી શ્રીસંથ સાથે એક પબમાં પણ ગઇ હતી અને ત્યાં હજારો પિયા ઉડાવ્યા હતાં.
પોલીસ એવું માને છે કે આ મરાઠી અભિનેત્રીની પૂછપરછમાં અનેક મહત્વની માહિતી મળી શકે છે. સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે ગ્લેમર વર્લ્ડમાં ઉભરતી મોડલ આરતી સાથે શ્રીસંતની હોટેલ્સમાં નિયમિત મુલાકાત થતી હતી. હાલમાં પોલીસ એ અંગે પણ તપાસ કરી રહી છે. પોલીસ શોધી રહી છે કે શ્રીસંત જે અભિનેત્રીની મળ્યો હતો તેનો સંબંધ ક્યાંય કાસ્ટિંગ કાઉચ સાથે તો નથી ને? આ દરમિયાન પોલીસે અજીત ચંદીલાના સંબંધીના ઘરેથી 20 લાખ રૂપિયા જપ્ત કયર્િ છે.
બીજી બાજુ, સ્પોટ ફિક્સિંગ મામલે ઝડપાયેલા શ્રીસંતનું મો ખોલવા માટે હવે સ્પેશિયલ સેલે નવા ઉપાયો શરૂ કરી દીધા છે. ભાવુક માનવામાં આવી રહેલા શ્રસંતનું મૌનવ્રત તોડવા માટે હવે ભાવનાઓને જ સહારો લેવાઈ રહ્યો છે. અને એટલે જ શ્રીસંતને અંકિત ચવાણ અને અજીત ચંદિલાથી અલગ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, શ્રીસંતને સરળતા રહે તે માટે બેડ, ઓશિકું પણ ઉપલબ્ધ કરાવાયું છે. સાથે જ શ્રીસંત સાથે વાતચીત થઈ શકે તે માટે મલયાલમ ભાષાના જાણકાર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરને પણ તૈનાત કરવામાં આવ્યાં છે.