ભાજપ્ના જેલભરો આંદોલનમાં અડવાણી, ગડકરી અને જોષી નહીં જોડાય
ભાજપે યુપીએ સરકારના ભ્રષ્ટાચાર સામે અને મોંઘવારી સામે આગામી 27મીથી જેલભરો આંદોલનની જે જાહેરાત કરી છે તે આંદોલનમાં ભાજપ્ના નેતાઓ એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોષી અને નીતિન ગડકરી નહીં જોડાય.
ભાજપ્ના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે દેશભરમાં ભાજપ્ના નેતાઓ ધરપકડ વ્હોરશે. તેમણે કહ્યું હતું કે ભાજપ્ના પ્રમુખ રાજનાથસિંહ દિલ્હીમાં ધરપકડ વ્હોરશે જ્યારે તેમને અનંતકુમાર અને પ્રકાશ જાવડેકર પણ ધરપકડ વ્હોરશે. લોકસભાના વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશમાં અને અણ જેટલી ચંદીગઢમાં ધરપકડ વ્હોરશે. ઉત્તરપ્રદેશમાં અમિત શાહ જ્યારે વણ ગાંધી, રાજીવ પ્રતાપ ડી, જે.પી.નડ્ડા અને મુરલીધર રાવ અનુક્રમે તામીલનાડુ, કેરાળા, છત્તીસગઢ અને પશ્ર્ચિમ બંગાળમાં તથા ઉમા ભારતી અને થાવરચંદ ગેહલોત ઉત્તરપ્રદેશમાં ધરપકડ વ્હોરશે.
પત્રકારોએ તેમને અડવાણી, મોદી અને ગડકરી વિશે પૂછયું ત્યારે તેઓએ કહ્યું હતું કે હાલમાં જે નામો નક્કી થયા છે તેની જાહેરાત કરવામાં આવી રહી છે.