સંઘના વડા મોહન ભાગવતે અન્ના હજારે દ્રારા સંઘના કાર્યકરોના ટેકા અંગે ધારણ કરેલા મૌન ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. ભારતભરમાં ભ્રષ્ટ્રાચાર વિરોધી આહલેક જગાડનાર અણ્ણા હઝારેના ગયા વર્ષના આંદોલનમાં રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં (આરએસએસ)ના કાર્યકરોએ હોંશે હોંશે ભાગ લીધેલો એ હકીકતનો સ્વીકાર કરવામાં હોવા અણ્ણા હઝારેેની સખત ચુપકીદીથી વ્યથિત આરએસએસએ તેમની ટીકા કરી હતી. આરએસએસના વડા મોહન ભાગવતે પત્રકારોને કહ્યું હતું કે સંઘના કાર્યકરોએ પોતપોતાની રીતે સિવિલ સોસાયટીના ભ્રષ્ટ્રાચાર વિરોધી જંગમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તો આ હકીકતનો એમણે સ્વીકાર કેમ નથી કર્યેા એ અંગે હત્પં ભારે વિમાસણમાં છું.
આરએસએસે તો કાર્યકરોને ભ્રષ્ટ્રાચાર વિરોધી જંગમાં જોડાવાના નિર્દેશ નહોતા આપ્યા પણ કાર્યકરોએ આપમેળે આ આંદોલનને સાથ આપવાનું મુનાસિબ માન્યું હતું. જોકે ભાગવતે સ્પષ્ટ્રતા કરી હતી કે આરએસએસ ભ્રષ્ટ્રાચાર મુદ્દે આંદોલનનો હિસ્સો ન હતો, પણ તેના મંતવ્યો પણ આવા જ છે તથા ગયા વર્ષના માર્ચમાં આ મુદ્દે ખાસ ઠરાવ પણ પસાર કર્યેા હતો. રાજકીય ઢાંચામાં ભ્રષ્ટ્રાચારને ડામવા માત્ર કડક પગલાં જ જરી નથી પણ ચૂંટણી સુધારા, પારદર્શક યંત્રણા કરવી કે જવાબદાર કાર્યવાહીની બાબતને પણ ગંભીરતાપૂર્વક લઈને દેશમાં સારા વહીવટ માટે કામગીરી જરી છે. ભાગવતે કહ્યું હતું કે નીતિન ગડકરીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના રાષ્ટ્ર્રીય પ્રમુખ બનાવવાનો નિર્ણય કઈં આરએસએસનો ન હતો તેણે તો માત્ર સુસંકલનકારની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં સુરક્ષાનું સંકટ છે. આપણા સંસ્કાર અને સંસ્કૃતીથી માંડીને દેશની સરહદ સુધી વિદેશી ઘૂસણખોરી ચાલી રહી છે. ચીન અને પાકિસ્તાન સાથેની સરહદ, નકસલવાદ તેમ જ રીટેઈલ ક્ષેત્રમાં સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) વગેરે પડકારો પણ આપણા રાષ્ટ્ર્રીય સાર્વભૌમત્વ સામે મોં ફાડીને ઊભા છે. આતંકવાદીઓ અને નકસલવાદીઓ સામેના આંતરિક ભયને પણ ખાળવોજરી છે