સીબીઆઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે મુશ્કેલી ઉભી કરી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (આરઆઇએલ)ની વિદ્ધ સીબીઆઇએ આરોપનામુ દાખલ કરી દીધું છે. આ આરોપનામું નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (એનઆઇસીએલ) ગોટાળાને પગલે દાખલ કરાયું છે. તેમાં ભ્રષ્ટ્રાચાર વિરોધી અધિનિયમની જોગવાઇ હેઠળ ગુનાહિત ષડયત્રં અને અન્ય આરોપોને આધાર બનાવવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર સીબીઆઇએ મુંબઇ કોર્ટમાં આ આરોપનામુ દાખલ કયુ છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ એનઆઇસીએલના મુદ્દે ષડયત્રં રચવા માટે ડિસેમ્બર ૨૦૧૧માં પણ આરોપ પત્ર દાખલ કરી ચૂકી છે.
રિપોર્ટમાં જણાવાયેલી બાબતો અનુસાર ૨૦૦૨થી ૨૦૦૪ વચ્ચે ઘણા એનઆઇસીએલ અધિકારીઓએ કેટલીક ખાનગી ટેલિકોમ કંપનીઓના કર્મચારીઓ સાથે મળીને ગૂનાહિત ષડયંત્રને પાર પાડું હતું. આ સાથે જ એનઆઇસીએલ અને ખાનગી ટેલિકોમ કંપનીઓ વચ્ચે નિયમોને બાજુ પર રાખી ૨ એમઓયુ પણ સાઇન કરાયા હતા.
રિપોર્ટમાં કહેવાયું છે કે સીબીઆઇએ તપાસમાં આરોપીને દોષી ગણાવ્યો છે. તેનાથી કંપનીને લગભગ ૨૭૩ કરોડનું નુકસાન પણ સહન કરવું પડયું હતું