વાર્ષિક રૂા.૬ લાખ સુધીની આવકવાળાના બાળકોને શિક્ષા માટે લોન પર વ્યાજ સબસીડી મળવાની છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય તૈયારી કરી રહ્યું છે.
મંત્રાલય આ યોજના હેઠળ આવકની સીમાને ચારથી વધારીને રૂા.૬ લાખ સુધી કરી દેશે. આ યોજનામાં વ્યવસાયિક શિક્ષા લોન પર કોર્ષની અવધિ નોકરી ગોતવાના ૬ માસ અને તેના પછી વધુ ૬ માસ સુધી વ્યાજ છૂટ મળશે.
૪ વર્ષનો કોર્સ કરનાર વિધાર્થી વધુમાં વધુ પાંચ વર્ષ વ્યાજ સબસીડીનો લાભ લઇ શકે છે. આ અવધિનું વ્યાજ બેન્કને ખુદ મંત્રાલય ભરે છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ સાડા ચાર લાખ રૂપિયાની સીમા ઓબીસીના ક્રીમીલેયર માપદંડોના આધાર પર રાખેલી છે હવે ઓબીસીની ક્રીમીલેયરની સીમા વધારીને રૂા.૬ લાખ કરી દેવાઇ છે. માટે આસ માને પણ વધારવામાં આવશે.
ટૂંકમાં નવી સીમા લાગુ થશે ત્યારે દરેક એવા વિધાર્થી તેના દાયરામાં આવી જશે જેના માતા–પિતાની આવક મહિને રૂા.૫૦ હજાર સુધી જ છે