કેન્દ્ર સરકાર મહેસૂલી આવક વધારવા માટેના પ્રયાસ તરીકે સર્વિસ ટેકસનો વ્યાપ વધારીને તેની જાળમાં વધુ સેવાઓને આવરી લેવા વિચારણા કરી રહેલ છે. આ મુદ્દે આગામી સામાન્ય બજેટમાં કોઇ જાહેરાત થઇ શકે છે જેમાં સર્વિસ ટેકસની નકારાત્મક યાદી બનાવવાનો મુદ્દો પણ હોય શકે છે !
ઉપરાંત શેરબજારમાં ઉત્સાહ વધારવા માટે સીકયોરિટી ટ્રાન્ઝેકશન ટેકસના દરમાં ઘટાડો થવાની પણ સંભાવના છે. જો કે કોમોડિટી ટ્રાન્ઝેકશન ટેકસમાં કોઇ ફેરફાર થાય તેમ જણાતું નથી.
અત્યારે ૧૧૯ સેવાઓ પર સર્વિસ ટેકસ લેવામાં આવી રહ્યો છે. વ્યાપ વધારીને કેન્દ્ર આ કર મારફત વર્તમાન નાણાકીય વર્ષમાં રૂા.૮૨ હજાર કરોડ ઉભા કરવા આશા રાખે છે.
ગયા મહિને રાયના નાણા પ્રધાનોની જીએસટી અંગેની એમ્પાવર્ડ કમિટીએ સેવાઓની નકારાત્મક યાદીના આધારે સર્વિસ ટેકસ લગાવવાની મંજૂરી આપી હતી. સરકાર નકારાત્મક યાદીમાં ૨૨ સેવાઓને મુકી શકે છે અને બાકી સેવાઓ પર ૧૦ ટકાના દરથી કર લગાવી શકે છે.