આઈપીએલમાં ફિક્સિગં કૌભાંડ બહાર આવ્યા બાદ બાકીની મેચ ઉપર પ્રતિબંધ મુકવાની માગણી એક જાહેર હિતની અરજી દ્વારા કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટ આ અરજી ઉપર આજે નિર્ણય લે તેવી સંભાવના છે.
આ જાહેર હિતની અરજીમાં એવી માગ કરવામાં આવી છે કે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. અરજીમાં એમ જણાવાયું છે કે જયાં સુધી આઈપીએલ ફિક્સિગં કૌભાંડની તપાસ પુરી ન થાય ત્યાં સુધી આઈપીએલની મેચો ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ સાથે એવી માગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની નેજા હેઠળ એસઆઈટીની એક ટીમ બનાવવામાં આવે અને આ ફિક્સિગં કૌભાંડની તપાસ કરવામાં આવે. આ કૌભાંડમાં મોટા માથાઓ સામેલ છે અને દેશ માટે કલંક પ કહેવાય. આ અરજીનો સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો છે અને આજે તેના પર સુનાવણી હાથ ધરાશે.
આઈપીએલના પ્લે ઓફમાં આવેલ ચાર ટીમ વચ્ચે રમાનાર બે મેચમાંથી એક મેચ આજે દિલ્હીમાં ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાનાર છે.