આઇપીએલ: હેદરાબાદને પ્લેઓફમાં સ્થાન મેળવવાની આજે છેલ્લી તક
હૈદરાબાદ: રાજસ્થાન રોયલ્સ સામે આસાન વિજય મેળવ્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આજની મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને હરાવવું જ પડશે કેમ કે તેમના માટે પ્લોઓફ્ફમાં પ્રવેશવાની આ છેલ્લી તક હશે. પંદર મેચમાંથી નવ મેચમાં વિજય મેળવનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હાલ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથે સ્થાને છે. પ્લેઓફ્ફમાં પ્રવેશવા આજની મેચ જીતવી તેમના માટે અનિવાર્ય છે.
ગત વર્ષની આઈપીએલની ચેમ્પિયન ટીમ કોલકતા નાઈટ રાઈડર્સ વિજય સાથે ટુનર્મિેન્ટ પૂરી કરવાની ઈચ્છા સાથે મેદાનમાં ઉતરશે. કોલકતા નાઈટ રાઈડર્સ આ વખતે સમગ્ર ટુનર્મિેન્ટમાં સાતત્ય ન દાખવી શકી હોવા છતાં આ ટીમ પાસે કેપ્ટન ગૌતમ ગંભીર, ઓલરાઉન્ડર યુસુફ પઠાણ અને જેક્સ કેલિસ અને લક્ષ્મીપતિ બાલાજી જેવા મેચનું પાસું બદલી શકે તેવા ખેલાડીઓ છે.
બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાપાસે ડેલ સ્ટેન, અમિત મિશ્રા, કરણ શમર્,િ થિસારા પરેરા અને ડેરેન સામી જેવા ધરખમ બોલર અને બેટ્સમેન છે. આમાંનો કોઈ પણ ખેલાડી પ્રતિસ્પર્ધી ટીમ માટે દુ:સ્વપ્નસમાન બની શકે છે. સનરાઈઝર્સની ટીમે બોલરોને મદદ કરતી ઘરઆંગણાની પીચનો જબરજસ્ત લાભ ઉઠાવ્યો છે અને નજીવા જુમલાનો પીછો કરવાનું પણ પ્રતિસ્પર્ધી ટીમ માટે મુશ્કેલ બનાવ્યું છે. જોકે સનરાઈઝર્સની ટીમની બેટિંગમાં સાતત્ય જોવા નથી મળ્યું.
ઘરઆંગણે સનરાઈઝર્સની ટીમે ચેન્નઈ સામેની એક માત્ર મેચ જ ગુમાવી છે. તાજો જ દાખલો રાજસ્થાન રોયલ્સની ટીમનો છે જે છેલ્લી મેચમાં સનરાઈઝર્સની ટીમ સામે 137 રનના નજીવા જુમલાનો પીછો કરતાં માત્ર 113 રન જ બનાવી શકી હતી. સ્ટેન, મિશ્રા અને પરેરા ત્રણેએ અઆ મેચમાં બે-બે વિકેટ ઝડપી હતી.