છત્તીસગઢના રાયપુરમાં આજે રાજયકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાજયપાલ શેખર દત્ત અચાનક બેહોશ થઇને ઢળી પડતાં દોડધામ મચી ગઇ હતી. ત્રિરંગો ફરકાવ્યા બાદ રાજયપાલ શેખર દત્ત પ્રવચન માટે ઉભા થયા કે તુરતં જ મચં ઉપર બેહોશ થઇ ગયા હતાં.
રાજયપાલને અચાનક ઢળી પડતા જોઇને તેના સુરક્ષા કર્મીઓ અને ડોકટર મચં ઉપર દોડી ગયા હતાં અને પ્રાથમિક સારવાર આપતાં રાજયપાલ ફરી હોશમાં આવી ગયા હતાં. આ પછી તેમણે પોતાનું પ્રવચન પણ કર્યુ હતું. રાજયપાલ શેખર દત્તે કહયું હતું કે નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેમની આ સ્થિતિ થઇ હતી