કોમલવેલ્થ ગેમ્સના આયોજનને લઈને મુકવામાં આવેલા આક્ષેપો વચ્ચે સરકારે આજે ખુલાસો કર્યો હતો કે જો સુરેશ કલમાડીને સાથે લઈને ન ચાલ્યા હોત તો દેશના ગૌરવને નુકસાન થયું હોત. દેશની ઈજજતનો પ્રશ્ન હતો. રમત ગમત પ્રધાન અજમ માકને આ મુજબનો ખુલાસો કર્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં કેન્દ્ર સ્થાને સુરેશ કલમાડી જ છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એનડીએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કલમાડીની આયોજન સમિતિના ચેરમેન તરીકેની નિમણુંક તેમના શાસનકાળ દરમિયાન જ નહીં. અમે તે સંદર્ભે કંઇપણ કર્યું નથી. કલમાડીને ૨૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવા બદલ વડાપ્રધાન કાર્યાલયની કેગે અહેવાલમાં ટીકા કરી હોવાના મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં માકને કહ્યું હતું કે, એનડીએ સરકારે જ કલમાડીની નિમણુંક કરી હતી.
હાલના વડાપ્રધાન કાર્યાલયે કલમાડીની નિમણુંક સંદર્ભે કોઇપણ નિર્ણય લીધો ન હતો. ત્યારે બે વિકલ્પ હતા. કોમનવેલ્થ ગેમ્સ રદ કરો અથવા તો યજમાન શહેર સાથે કરાર કરો. જે નવેમ્બર ૨૦૦૩માં એનડીએના શાસનકાળ દરમિયાન થયો હતો.
ત્રીજો વિકલ્પ જ હતો નહીં. સુનિલદત્ત ઉપરાંત પૂર્વ રમતગમત મંત્રી મણિશંકર અૈય્યરે પણ કલમાડીને વધારે પડતી સત્તા આપવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. માકને કહ્યું હતું કે, હું સંમત છું. અમે તમામ લોકોએ આ પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ તેમણે આમાં કંઇ કર્યું ન હતું.