ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જ્યોફ્રે બોયકોટનું કહેવું કે ક્રિકેટમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા ભારતે બેટિંગના જુગારને કાયદેસર બનાવવો જોઈએ અને તેમનું માનવું હતું કે તાજેતરમાં આઈ.પી.એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડેલ ફિક્સિગંના કૌભાંડ વધારે પડતા એશિયન રાષ્ટ્રમાં થતા હોય છે.
ભારતમાં બેટિંગના જુગારને કાયદેસર કરવો જોઈએ જેથી આવા ભ્રષ્ટાચાર બિલકુલ રોકી શકાય, એમ બોયકોટે એક મુલાકાતમાં કહ્યું હતું.
બોયકોટે કહ્યું હતું કે અમેરિકામાં દારૂબંધીના સમયમાં જ્યારે બિયર ગેરકાયદેસર હતો ત્યારે માફિયા જેવા બધા લોકો તે પીતા હતા. આવી જ રીતે સમાજના કેટલાક નીચલી કક્ષાના લોકો બેટિંગનો જુગાર રમતા હોય છે.
બોયકોટે કહ્યું હતું કે ઘોડાની દોડ સમાન ક્રિકેટમાં પણ બેટિંગના જુગારને કાયદેસર બનાવવો જોઈએ જેથી તેમાંથી કૌભાંડોને બિલકુલ નષ્ટ કરી શકાય.
આઈ.પી.એલ.માં સ્પોટ-ફિક્સિગંના પ્રકાશમાં આવેલ કૌભાંડના પગલે ભારતના ટેસ્ટ ક્રિકેટર એસ. શ્રીસંત સહિત ત્રણ ખેલાડી ઉપરાંત, અન્ડરવર્લ્ડ જોડે સંબંધ ધરાવતા અનેક બુકીઓની ધરપકડ કરાઈ હતી.
ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને નામાંકિત કોમેન્ટેટર બોયકોટનું માનવું છે કે આવા કૌભાંડ અન્ય ક્રિકેટ રાષ્ટ્રો કરતા એશિયાઈ દેશમાં વારંવાર થતા રહ્યા છે.આવું એશિયામાં જ બનતું આવ્યું છે, એમ તેણે કહ્યું હતું. પણ, બોયકોટે કબૂલ્યું હતું કે રમતમાંથી આવો ભ્રષ્ટાચાર બિલકુલ નાબૂદ કરવો અશક્ય છે.
તમે ગમે એટલી સાવચેતી વાપરો અને પ્રતિબંધક પગલાં ભરો, પણ મનુષ્યના સ્વભાવ પ્રમાણે કોઈને કોઈ વ્યક્તિ ગેરકાયદેસરપણે સિસ્ટમને તોડવાનો પ્રયાસ જરૂર કરશે અને આમ ફક્ત ક્રિકેટમાં જ નહીં, પણ દરેક ક્ષેત્રમાં બનતું હોય છે, એમ તેણે વધુમાં કહ્યું હતું. પણ, આવું હવે વારંવાર બનતું રહે છે અને તેમાં એશિયન ખેલાડીઓની સંડોવણી હોય છે, એમ તેણે ઉમેર્યું હતું.
બોયકોટે કહ્યું હતું કે પોલીસે આઈ.પી.એલ.ના આ નવા કૌભાંડનો પદર્ફિાશ કરતા આઈ.સી.સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) અને વિવિધ રાષ્ટ્રના ક્રિેકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી ખાતા બિનઅસરકારક બન્યા છે.
આ કામ આઈ.સી.સી. કે બી.સી.સી.આઈ. (બોર્ડ ઓફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)એ કર્યું નથી, પણ ભારતની પોલીસને તેનો જશ જાય છે, એમ બોયકોટે કહ્યું હતું.
બોયકોટે કહ્યું હતું કે આઈ.પી.એલ.માં આવા કૌભાંડનું એક કારણ ટોચના ખેલાડીઓ અને જુનિયરો વચ્ચે કમાણીની રકમમાં રહેતો મોટો તફાવત હતું. પણ, બોયકોટે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આવી કટોકટી છતાં, આઈ.પી.એલ. સ્પધર્િ ચાલુ રહેશે.