જામઙ્ગગર જિલ્લામાં ખંભાળીયા ઘીનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ત્યારે ખંભાળીયામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને ઘી, તેલ અને દવાના નમૂનાઓ લઇને વેપારીઓમાં દોડધામ મચાવી દીધી હતી. અગાઉ પણ કેટલાક નમૂનાઓ પોઝીટીવ આવતા આ વખતે શું થશે તેની બિક વેપારીઓને લાગી હતી. જયારે કેટલાક વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
ખંભાળીયાની ઘીની બજાર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અમદાવાદ, સુરત અને બરોડા સુધી ખંભાળીયાનું ઘી મોકલવામાં આવે છે ત્યારે શુઘ્ધ ઘીના ઓઠા હેઠળ કેટલાક વેપારીઓ મિલાવટવાળુ ઘી વેંચતા હોય તેવી ફરિયાદો ઉઠી હતી. જામઙ્ગગર ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ગઇકાલે દરોડા પાડીને ખંભાળીયાના વેપારીઓને ત્યાંથી ઘીના નમૂનાઓ લીધા હતાં. આ દરમ્યાન વેપારીઓ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી. એક ખાનગી દવાખાનામાંથી દવાના નમૂનાઓ અને એક ઓઇલ મિલમાંથી સીંગતેલના નમુનાઓ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતાં. આ દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ અગાઉ પણ ખંભાળીયામાંથી લીધેલા કેટલાક નમુનાઓમાં ભેળસેળ હોવાનું ખુલ્યું હતું. ખંભાળીયામાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.