જામનગર તાલુકાના ખીજડીયા ગામની દલિત સગીરાને લલચાવી, ફોસલાવીને ભગાડી જઇ તેણી પર બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ ગુલાબનગરના દેવીપૂજક શખ્સ સામે નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં હાપાના કોળી શખ્સની સંડોવણી ખુલવા પામી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા મનસુખ ગોવિંદભાઇ મકવાણા (ઉ.૪૦) નામના દલિતની ૧૬ વર્ષની પુત્રીને ગત તા.૪ના રોજ જામનગરના ગુલાબનગરમાં રહેતો સંજય કેશુ દેવીપુજક નામનો શખ્સ ધમકી આપી લલચાવી, ફોસલાવીને અપહરણ કરી ગયો હતો.
ત્યારબાદ સગીરા પર આરોપીએ બળાત્કાર ગુજાર્યેા હતો. દરમ્યાનમાં આ અંગે મનસુખભાઇ મકવાણાએ ગુલાબનગરના સંજય કેશુ દેવીપૂજક અને મદદગારી કરનાર હાપાના ભરત લાખા કોળી આ બંને શખ્સો વિરૂધ્ધ પચં એ ડીવીઝનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૬ (૨), ૧૧૪, એટ્રોસીટી ૩–૧–૧૧ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્રારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
|