ભાટીયા ગામે ભૂકંપના હળવા–હળવા આચંકાથી અહિંના કેશરીયા તળાવની પારમાં તિરાડો અમુક મકાનોમાં પણ વધતી જતી તિરાડો ધણી વખત ભેદી ધડાકાઓ પણ થાય છે. તત્રં દ્રારા કોઇ આયોજન છે ? ગ્રામજનોનો જીવ તારવે ચોટી રહ્યો છે.
જામકલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામ હજુ ૨૦૧ના સૌરાષ્ટ્ર્ર કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપને ભુલી શકયા નથી. હજુ ભાટીયામાં હળવા–હળવા ભૂકંપના આચંકાઓનો સીલસીલો ચાલુ છે. અહીંના ધણાખરા મકાનોમાં દિવસેને દિવસે નાની તિરાડો મોટી થતી જાય છે.
અહીંના કહેવાતા કેશરીયા તળાવની પાર ઉપર અનેક મોટી તિરાડો પડવા લાગી છે. ચોમાસામાં મોટી કોઇ ઘટના બને તે પહેલા એટલે કે પાણી પહેલા પાર બાંધવી જરૂરી છે. ધણીવખત ભેદી ધડાકાઓના અવાજથી બારી બારણા ધણધણી ઉઠે છે.
આ અંગે અવારનવાર સાથે તાલુકા મામલતદારની વાત અતં થયેલ તેના જણાવ્યા અનુસાર કયાંય ભૂકપં યત્રં મુકવામાં આવ્યું નથી. અગાઉ અડવાણા ગામે મુકાયું રોડ ધડાકા અંગે પૂછતા તેણે જણાવેલ કે હત્પં બહાર છું. સેનો ધડાકો છે. તે જાણી શકાયું નથી. આવી રીતે તત્રં ગોલ–ગોલ વાત કરીને આ ગંભીર પ્રશ્ન ટાળી રહી છેને પ્રજા દિવસેને દિવસે ભયભીત થવા લાગી છે. પ્રજાની જાણકારી માટે તંત્રએ ખુલાસો જાહેર કરવો જોઇએ કયાંક પછી ધોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડવુ ન પડે.