જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ ગ્રીનસીટી અને સરદાર પાર્ક વિસ્તારમાં ચાર દિવસ પહેલા ગરાસિયા શખસ દ્રારા દુકાનોમાં તોડફોડ કરીને નગરસેવકને ધમકી આપતા મામલો બિચકયો હતો, આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર ગ્રીનસીટી વિસ્તારમાં રાત્રીના આરોપીઓ કારમાં ઘસી જઇને દુકાનમાં તોડફોડ મચાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી સીટી–એ ડીવી. પોલીસનો કાફલો દોડી ગયો હતો. દરમ્યાનમાં આરોપી અલ્ટ્રો કારમાં રણજીતસાગર રોડ તરફ નાશી છુટતા પોલીસે તેનો પીછો કરીને ધોરીવાવ પાસે પહોચતા આરોપીઓએ ગાડીમાંથી ઉતરીને પોલીસ પાર્ટી પર હથિયારોથી હત્પમલો કરી ખાનગી વાહનના કાચ તોડી નાખી હંગામો મચાવ્યો હતો. આ અંગે પોલીસ દ્રારા પાંચ શખસો સામે વિધીવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના સાધના કોલોની, ગ્રીનસીટી, સરદાર પાર્ક વિસ્તારમાં લુખ્ખા તત્વોના રંજાડની ફરિયાદો ઉઠી હતી. દરમ્યાનમાં ગુરૂવારે રાત્રીના ગ્રીનસીટી વિસ્તારમાં ગજેન્દ્રસિંહ ઉર્ફે ચકકો અને અન્ય આરોપીઓ કારમાં ઘસી જઇને દુકાનમાં તોડફોડ કરતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાતમીના અનુસંધાને સીટી–એ ડીવી.નો સ્ટાફ ગજેન્દ્રસિંહને પકડવા પાનની દુકાને ગયા હતાં, આથી આરોપીઓ પોલીસને જોઇને પોતાની અલ્ટ્રો કારમાં લાલપુર ચોકડીથી રણજીતસાગર રોડ તરફ નાશી છુટયા હતાં. આથી સીટી–એ ડીવી.ના કોન્સ. સુરેશભાઇ અને અન્યએ ખાનગી વાહનમાં તેમનો પીછો કર્યેા હતો.
આ વેળાએ ફિલ્મી ધ્શ્યો સર્જાયા હતાં અને ધોરીવાવ પાસે પહોચતા આરોપી ગજેન્દ્રસિંહ છરી સાથે ગાડીમાંથી નીચે ઉતર્યેા હતો. જેને પકડવા માટે સુરેશ ડાંગર અને અન્ય દોડયા હતાં તે દરમ્યાન અલ્ટ્રો ગાડીમાંથી અન્ય ચાર આરોપીઓ છરી, તલવાર, ધોકા સાથે ઉતરીને આ પાંચેય શખસોએ એકસપં કરીને ઉશ્કેરાઇ જઇ તિણ હથિયારો વડે પોલીસ કોન્સ. સુરેશ રામદેભાઇ ડાંગર (ઉ.વ.૩૯) તથા સાહેદો પર હત્પમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ હત્પમલામાં પોલીસ કર્મચારી સુરેશભાઇ ડાંગરને હાથમાં ઇજા થઇ હતી, આરોપીઓએ ખાનગી વાહનના કાચ તોડી નાખીને નુકસાન પહોચાડયું હતું. દરમ્યાનમાં સુરેશભાઇએ ઉપરોકત બનાવ અંગે સાધના કોલોની એલ–પ૪માં રહેતા ગજેન્દ્રસિંહ ઉર્ફે ચકકો દિલીપસિંહ જાડેજા, સાધના કોલોનીમાં રહેતા મુકેશ સિંધી, ભરતસિંહ મુંગણીવાળો, જામનગરના રવિરાજસિંહ અને એક પટેલ શખસ સામે આઇપીસી કલમ–૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૨૩, ૪ર૭ જીપીએકટ કલમ–૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ પંચકોશી–બી ડીવી.ના પીએસઆઇ સી.કે.સરવૈયા તથા સ્ટાફ ચલાવી રહ્યા છે. દરમ્યાનમાં સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ પોલીસે આ પ્રકરણમાં આરોપીઓનું પગેરુ દબાવ્યું છે અને હાથવેંતમાં હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ગત મંગળવારે શંકરટેકરી વિસ્તારમાં વાહનના કાગળો માંગવાના મામલે મુસ્લિમ શખસોએ પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હતી ત્યાર બાદ પોલીસ સામે હત્પમલાની ફરિયાદ થઇ હતી તો બીજી તરફ ધોરીવાવ પાસે પોલીસને માર મારવામાં આવ્યો હતો. આ બનાવે જામનગર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.