જામનગર મહાનગરપાલિકા દ્રારા ૨૦૧૨–૧૩નાં બજેટમાં મ્યુ.કમિશ્નર દ્રારા રૂા.૭.૮૯ કરોડના કરવેરા નાખવા માટે દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ કારમી મોંઘવારીમા જામનગરવાસીઓ કોઇપણ કાળે નવા કરવેરા સહન કરી શકે તેમ નથી ખાસ કરીને મહાનગપાલિકા દ્રારા કયારેક એકાંતરે તો કયારેક બે–થી ત્રણ દિવસે પણ પાણી અપાય છે પરંતુ લોકોના ખીસ્સામાંથી આખા વર્ષનો પાણી વેરો લઇ લેવામાં આવે છે. તેમ વોર્ડ નં.૧૫નાં નગર સેવા અલ્તાફ ખફીને જણાવ્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે, યાં સુધી મહાનગરપાલિકા પુરતા પ્રમાણમાં સગવડતા ન આપે ત્યાં સુધી કોઇપણ વેરો લાદવો જોઇએ નહી. ભુગર્મ ગટર યોજના હજુ પુરી થઇ નથી અને મહાનગરપાલિકા ચાર્જ લીધા જ કરે છે તેમજ કેટલાક વિસ્તારોમાં લાઇટો ન હોવાને કારણે અંધારૂ છે ત્યારે ત્રણ ટકા માંથી છ ટકા ટેકસ કરવો વ્યાજબી નથી. હાઉસ ટેકસ ક્ષેત્રફળ આધારીત કરાવ્યા બાદ તેમાં પ્રતિ ચો.મી. ૧૩ ને બદલે રૂા. ૧૬ ટેકસ કરવા ભલામણ કરવાય છે તે ખુબ જ અયોગ્ય છે. જો મહાપાલિકા સીર્સેાસીસનો યોગ્ય ઉપયોગ કરે તો કોઇપણ પ્રકારના ટેકસ નાખવાની કોઇ જરૂર નથી.
ભુર્ગભ ગટર યોજનાનાં ઠેકાણા નથી અને દર વર્ષે વેરા વધારયા જવા છે.સુઅરેજ ટેકસ માં પણ ૫ ટકા માંથી ૧૨ ટકાની દરખાસ્ત નામંજુર કરવી જોઇએ છે તેમ નગર સેવક અલ્તાફ ખફીએ જણાવ્યુ હતુ