રેશનકાર્ડમાં નામ સૂધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધીની જરૂર નથી: ડીએસઓ
$
જાણીતા આર.ટી.આઇ. એકટીવિસ્ટ ગૌતમ ગોહિલએ જીલ્લા પુરવઠા અધિકારીને અરજી કરી રેશનકાર્ડમાં નામ સુધારવા ગેઝેટમાં પ્રસિધ્ધી કરાવવી ફરજીયાત હોય એવો કોઇ સરકારી પરીપત્ર હોય તો તેની ખરી નકલ આપવા માંગણી કરી હતી.
અરજી અન્વયે પુરવઠા અધિકારીએ લેખીતમાં જવાબ આપી ચોખવટ કરી છે કે નામ સુધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધી કરાવવી ફરજીયાત રકમ એવો કોઇ સરકારી પરિપત્ર અમલમાં નથી.
અત્રે એ ખાસ ઉલ્લેનીય છે કે પુરવઠા કચેરી હસ્તકની દરબારગઢ ઝોનલ ઓફિસમાં નોકરી કરતાં સરકારી નોકર, ગરીબ, પછાત, અભણ વિગેરે અરજદારોને રેશનકાર્ડના નામ સુધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધ કરાવવાનું મનસ્વી રીતે કરે છે અને ધકકા ખવડાવી ખૂબ જ હેરાન–પરેશાન કરે છે. ભ્રષ્ટ્ર નીતી–રીતી અપનાવે છે. પોતાનું મન ધાર્યુ કરે છે. સરકારી કચેરીની પ્રાઇવેટ પેઢીમાં ફેરવી નાખે છે. તેની વિરુધ્ધ વ્યાપક ફરીયાદો છે.
પુરવઠા અધિકારીએ ચોખવટ કરેલ છે. ત્યારે હવે આ સરકારે નોકરે નામ સુધારવા માટે ગેઝેટમાં પ્રસિધ્ધી કરાવવાનો આગ્રહ ન રાખી કે દબાણ ન કરીને નામ–અટક સુધારી દેવા અને અરજદારોને ધકકા ન ખવડાવવા માટે પુરવઠા અધિકારી, જીલ્લા કલેકટર અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.