આજકાલ કાર્યાલય–જામનગર
આડેધડ નહીં પરંતુ સુનિયોજીત નગરના વિકાસ માટે જામનગર મહાનગરના સ્લમ વિભાગ દ્રારા છેલ્લા ૧૦ વર્ષમાં રૂા.૨૧.૬૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો પૂર્ણ કરાયા છે.
મહાનગર સેવાસદન દ્રારા આપવામાં આવેલ વિગતો મુજબ છેલ્લા એક દાયકામાં ઇ.ડબલ્યુ.એસ.યોજના હેઠળ ૧૪૦૧ આવાસો રૂા.૪૯૧ લાખના ખર્ચે, વામ્બે યોજના અંતર્ગત ૫૦૪ આવાસો રૂા.૩૩૧.૨૯ લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ કરી ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાયું છે. ઉપરાંત આઇ.એચ.એસ.ડી.પી. યોજના અંતર્ગત ૮૬૪ પૈકી ૪૨૦ આવાસો રૂા.૭૨૯.૬૯ લાખના ખર્ચે બાંધકામ પૂર્ણ કરી શહેરી ગરીબોને ફાળવવામાં આવેલ છે. સ્લમ વિભાગ દ્રારા આહિર સમાજથી હોટલ વિશાલ થઇ રાજીવનગર તરફ ઓપન કેનાલનું રૂા.૯૦.૯૨ લાખના ખર્ચે નિર્માણ કરાયું છે. નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત વ્યકિતગત ૫૯૪૫ શૌચાલયોનું બાંધકામ કરાયું છે તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રૂા.૨૫૦ લાખના ખર્ચે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકનું નિર્માણ કરાયું છે
|