પોરબંદરના ઠક્કરપ્લોટ જેવા ભરચક્ક વિસ્તારમાં એટીએમ મશીનનું કવરડોર તોડીને ચોરીનો પ્રયાસ થયો હોવાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ થઇ છે.
બેંકમાં નોકરી કરતા ભરતભાઇ ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઠક્કરપ્લોટમાં કબીર આશ્રમ પાસે એસબીઆઇ બેંકના એટીએમ મશીનના કવરડોરને તોડી નાખીને તેમાંથી ચોરી કરી હોવાની અજાણ્યા શખ્સોએ કોશીષ કરી હતી અને તે અંગેની તપાસ પી.એસ.આઇ. વાઘેલા ચલાવે છે