પોરબંદરમાં છ મહીના પહેલા પલગં ઉપરથી પડી જતાં હેમરેજ થવાથી વૃધ્ધનું મૃત્યુ નિપજયાના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરાવેલુ ન હતુ અને હવે છેક મૃત્યુના છ મહીના પછી પોલીસને જાણ કરાતા ચકચાર જાગી છે. કડીયાપ્લોટ શેરી ન.ં ૭માં રહેતા ભરત ખીમા કારાવદરાએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ કરશન ગાંગાભાઇ ઓડેદરા નામના ૮૨ વર્ષના વૃધ્ધ તા. ૫૮૨૦૧૧ના તેના ઘરે સુતા હતા અને પલગં ઉપરથી નીચે પડી જતાં માથામાં ઇજા થઇ હતી અને રાજકોટ સારવાર માટે ખસેડેલ હતા ત્યાંથી તેની સ્થિતી સારી બની જતાં પોરબંદર પરત આવ્ા હતા અને ત્યારબાદ અચાનક તેમનું મોત નિપજતાં આ બનાવ અંગે હવે પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે