પોરબંદર પંથકમાં અપમૃત્યુના બનાવમાં ત્રણ યુવાનોનો લેવાયો ભોગ
પોરબંદર પંથકમાં અપમૃત્યુના બનાવમાં ત્રણ યુવાનોનો ભોગ લેવાયો છે. ચિંગરીયા ગામનો દલસુખ ખીમા સોલંકી ઉ.વ.૨૫ નામનો વણકર યુવાન છેલ્લા કેટલાક વર્ષેાથી માનસિક બિમારીથી પીડાતો હતો અને આથી તેણે ઘરમાં પંખા સાથે દોરડુ બાંધીને ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજયું હતું. દલસુખના મોટાભાઇ મનસુખે બનાવની જાણ પોલીસને કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો અશોક કાંતિ ચાંડેગરા ઉ.વ.૨૧એ પણ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ હતી.તો કુતિયાણાના રોધડા ગામનો યુવાન રમેશ મંગા ચાવડા ઉ.વ.૪૦ ત્રણ દિવસ પહેલા બાઇક લઇને બાંટવા ગામે જતો હતો ત્યારે બાંટવા બાઇક પાસે ટ્રકે તેના બાઇકને ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલા રમેશને સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં તેનું મોત થયું છે