વેરાવળ–પાટણ સંયુકત નગરપાલિકામાં જન જાગૃતિ મંચના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાઇને નગરપાલિકાનું શાસન ભાજપને સોંપવામાં આવે છે ત્યારે અગ્રણી વેપારી દ્રારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ગુજરાતમાં વેરાવળને ગંદામાં ગંદુ સિટી તરીકેનો એવોર્ડ મળી શકે તેમ હોય તેથી આ શહેરમાં પુરતું ધ્યાન અપાઇ તેવી માગ કરી છે.
વખારીયા બજારના અગ્રણી વેપારી અને સોરઠ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ.ના પૂર્વ પ્રમુખ ચીમનભાઇ અઢીયા દ્રારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વધુ એક નગરપાલિકાનો ભાજપ પક્ષમાં ઉમેરો થતાં અભિનંદન આપી સતાધીશો–સરકારને ધ્યાન ઉપર મુકવા વિચારો લેખિત રજૂઆતમાં રજૂ કરી જણાવેલ કે, ઘણા વર્ષ પહેલા વલ્ર્ડ બેંક ઉત્કૃષ્ટ્ર સિટી બનાવવા ગુજરાતના આઠ શહેરો પૈકીનું એક ગણેલ હતું પરંતુ ગમે તે કારણે તે વિશે આગળ વધી શકાયું નથી. હવે વેરાવળને ગુજરાતના ગંદામાં ગંદુ સિટી તરીકેનો એવોર્ડ મળી શકે તેમ હોય ત્યારે વેરાવળ સિટી ઉપર પુરતું ધ્યાન અપાઇ તે ખુબ જ જરૂરી છે આવા કારણોને લીધે શહેરની પ્રજાજનોને માઇગ્રેશન વધતું જાય છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે સુરતને ગુજરાતના ગંદા સિટી તરીકે એવોર્ડ મળતો હતો પરંતુ આજે ત્યાંની પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સત્તાધીશો વિચારે તેમજ રાજકીય ઇચ્છા શકિત કાર્યરત થાય તો સુરતની જેમ અશકયને શકય કરી શકાય તેમ વેરાવળને સ્વચ્છ શહેર બનાવવાનું અઘરું નથી. વેરાવળ શહેરના આજુબાજુના વિસ્તારોને શહેરમાં સમાવી મહાનગરપાલિકાનો દરજો આપવામાં આવે તો આ વિચારને વેગ મળી શકે તેમ છે. અંદાજિત ત્રણેક વર્ષ પહેલા આ અંગે વિચારણા થતી હતી પરંતુ યેનકેન પ્રકારે તે શકય બન્યું નથી. વેરાવળ શહેર મહાનગરપાલિકાની તમામ ક્ષમતા ધરાવે છે તેમ છતાં હજુ સુધી શકય બન્યું નથી તો યારે ગુજરાતમાં ભાજપ પક્ષની સરકાર હોય અને મોસાળે જમણ અને મા પીરસણીયે હોય તેવો ઘાટ સર્જાયો હોય તો વેરાવળની પ્રજાની લાગણી–માગણીને વાચા આપવા પ્રયત્ન કરેલ છે. આ રજૂઆતના અંતે ચીમનભાઇએ જણાવેલ કે, સોમનાથ દાદાના સાંનિધ્યમાં એકતા અને સંગઠિતતાનો અવસર આવેલ હોય ત્યારે દાદાના આશીર્વાદ મેળવી સરકાર મહાનગરપાલિકાના વિચારને વેગ અપાવશે તેવું જણાવ્યું છે.