વેરાવળ બંદરમાં માચ્છીમારોની ફિશીંગ બોટો ઉતારવામાં અધિકારીઓ દ્રારા થતાં અન્યાય સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તપાસ કરવાની માગ કરેલ છે. આ બાબતે વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડીએ એક યાદીમાં જણાવેલ છે કે, ફીશીંગની સીઝન ચાલુ થયાને એક માસ જેવો સમય થયેલ છે અને માચ્છીમારો માટે શરૂઆતના બે માસમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છી આવતી હોય છે તેમ છતાં એસો.ની ફીશીંગ બોટો હજુ દરિયામાં અધિકારીઓના કારણે ઉતરેલ ન હોવાથી માચ્છીમારોને આર્થિક નુકસાન સહન કરવી પડેલ છે. ફીશીંગ બોટો દરિયામાં ઉતરેલ ન હોવાથી અસંખ્ય માચ્છીમારો હાલ કામ ધંધા વગરના બેકાર થયેલ છે અને અધિકારીઓ પ્રત્યે રોષ ફેલાયેલ છે. તેમ છતાં પોર્ટ ઓફિસર ફીશરીઝ ઓફિસર તથા કમિશનર ત્રણેય અધિકારીઓ સામે બોટ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી દ્રારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી તપાસની માંગણી કરી જેના હાથમાં માચ્છીમારોના પ્રશ્નો ઉકેલવાની સત્તા છે તે અધિકારીઓ આખં આડા કાન કરે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવા સંજોગો ઉભા થયેલ હોવાનું પણ આ રજૂઆતમાં જણાવેલ છે.