વેરાવળના ખારવા યુવાનનું માછીમારી કરતા સમયે દરિયામાં પડી જતાં મોત
વેરાવળના ખારવા યુવાન નાની હોડીમાં મચ્છી મારવા ગયેલ તે વખતે અકસ્માતે દરીયામાં પડી જતાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતા ખારવા સમાજમાં શોકનું મોજુ પ્રસરેલ છે.
અત્રેના ખારવાવાડામાં રહેતા ખારવા રાજુભાઈ બાવનભાઈ ગોહેલ ઉ.વ.૩૫ ગત તા.૧૪ના પોતાની નાની હોડીમાં મચ્છી મારવા દરીયામાં ગયેલ તે સમયે અકસ્માતે દરીયામાં પડી ગયેલ હતો. ગઈકાલે સવારે ૧૧.૩૦ કલાકે ભીડીયા દરીયા કિનારે કેસર લોક ફેકટરીની પાછળના ભાગેથી રાજુભાઈનો મૃતદેહ મળી આવતા ખારવા સમાજ તથા પરિવારમાં શોકનું મોજુ પ્રસરેલ છે. મૃતક રાજુભાઈને બે સંતાનો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ તપાસ હે.કો. બી.પી.જાની કરી રહેલ છે.
ભુલથી પરિણીતાએ ઉંદર મારવાની ટીકડી ખાધી
સુત્રાપાડા તાબાના ભુવાવાડા ગામે દેવીપૂજક પરિણીતા ભુલથી ઉંદર મારવાના ઝેરી ટીકડા ખાઈ જતાં પ્રથમ કોડીનાર અને ત્યાંથી વધુ સારવાર માટે તાલાલા હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે.
પ્રા વિગત મુજબ ભુવાવાડા ગામે રહેતી દેવીપૂજક પરિણીતા રેખા દિલુ સોલંકી ઉ.વ.૧૯ પોતાની કરીયાણાની દુકાને ગત તા.૧૪ના ૧૨ કલાકે બેસી દુકાન સંભાળી રહેલ તે સમયે ભુખ લાગતા વાટકામાં પડેલ ખારીસીંગ હોય તેમ માની ખાઈ ગયેલ પરંતુ તે ઉંદર મારવાની ટીકડી હોય તેથી ઝેરી અસર થયેલ અને ઉલ્ટી થતા તાત્કાલીક કોડીનાર હોસ્પિટલે સારવારમાં ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે તાલાલા હોસ્પિટલે ખસેડેલ છે. આ અંગેની વધુ તપાસ તાલાલાના સીપીઆઈએ હાથ ધરેલ છે.
ખલાસી દરિયામાં પડયો
વેરાવળની મા માલેરાય કૃપા નામની ફીશીંગ બોટમાં વલસાડ તાલુકાના સજદાણા ગામનો ખલાસી શૈલેષ રમેશ સાવર મચ્છી મારવા ત્રણ દિવસ પહેલા તા.૧૨ના ગયેલ તે રાત્રીના ૩ કલાકે અકસ્માતે દરીયામાં પડી ગયો હતો. આ અંગેની જાણ સતીષ જશુભાઈ માચ્છીએ વેરાવળ પોલીસમાં કરતા એએસઆઈ કે.ડી.ખરાડીએ તપાસ હાથ ધરેલ છે.
સામાનય ઈજાનો બનાવ
ચોરવાડ ખાતે રહેતી કોળી સવી દેવશી મેર ઉ.વ.૪૦ને કોઈ મારામારીમાં માથામાં તથા હાથમાં ઈજા સાથે ગઈકાલે સવારે ૧૧ કલાકે વેરાવળ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે.