રાજકોટ ફરતે પ્રવેશદ્વાર બનાવવા ખાતરી આપ્યા બાદ કામ શરૂ નહીં કરનાર પાર્ટી સાથેના MOU રદ કરાશે
પ્રવેશદ્વાર વિહોણા શહેરનું વિશેષણ ધરાવતા રાજકોટ શહેર ફરતે પ્રવેશદ્વાર બનાવવા ખાતરી આપ્યા બાદ કામ શ નહીં કરનાર પાર્ટીઓ સાથેના એમઓયુ (સમજૂતી કરાર) રદ કરવા ગંભીર વિચારણા મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચાર વર્ષ પૂર્વે વાવાઝોડામાં ધરાશાયી થયેલું ગ્રીનલેન્ડ ચોકડી પાસેનું પ્રવેશદ્વાર પણ હજુ ખંડિત અવસ્થામાં ઉભું છે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશવાના અન્ય પાંચ રાજમાર્ગો જેમાં કાલાવડ રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ, મોરબી રોડ સહિતના સ્થળે પ્રવેશદ્વાર બનાવવા વિવિધ સંસ્થાઓ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી અને જે તે સમયે સંસ્થાઓએ મોટા ઉપાડે ખાતરી પણ આપી હતી પરંતુ પાછળથી પાણીમાં બેસી ગઇ હતી !
દરમિયાન વધુમાં આ અંગે મહાપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મળેલી એક બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે જે સંસ્થાઓએ પ્રવેશદ્વાર બનાવી દેવા ખાતરી આપી હોય અને ત્યારબાદ કામ શ કર્યું ન હોય તેવી સંસ્થાઓ સાથે કરાયેલા એમઓયુ (સમજુતી કરાર) રદ કરવા ગંભીર વિચારણા શ કરવામાં આવી છે. જે સંસ્થાઓ સાથે સમજુતી કરાર કરાયા હોય તેમની સાથેના કરાર રદ કરવા અને જેમની સાથે કરાર કરાયા વિના મૌખિક ખાતરીના આધારે કામ અપાયું હોય તેવી સંસ્થાઓ પાસેથી પણ કામ પરત લઇ અન્યને સોંપી દેવા તજવીજ હાથ ધરાઇ છે. પ્રવેશદ્વારનું નિમર્ણિ કરી દેવા અનેક સંસ્થાઓ અને કંપ્નીઓ તરફથી ઓફર આવી રહી છે ત્યારે મહાપાલિકાને ખાતરી આપીને કામ નહીં કરનારાઓ સાથે છેડો ફાડી નાખવા નિર્ણય લેવાઇ ગયો છે. ટૂંકસમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.