રાજકોટ સહિત રાજ્યભરની માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી સમૃધ્ધ બનાવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી કરોડો પિયાની કિંમતે પુસ્તકોની ખરીદીનો ઓર્ડર આપી દેવાયો છે. એટલું જ નહીં મોટાભાગના પ્રકાશકોએ પોતાના પુસ્તકોની ડીલેવરી આપવાનું શ કરી દીધું છે.
શિક્ષણ વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારી અને બીનસરકારી માધ્યમીક શાળાઓમાંથી મોટાભાગની શાળાઓમાં ઈત્તર વાંચન માટે લાઈબ્રેરીની સુવિધા ન હોવા છતાં તે અંગેનો કોઈ અભ્યાસ કે સર્વે કરાવ્યા વગર રાજ્યના શિક્ષણ વિભાગે અલગ અલગ 67 પ્રકાશકોના વિવિધ વિષયો પરના પુસ્તકો ફાઈનલ કરી શાળાઓને ફાળવણી શ કરી દીધી છે. રાજકોટ શહેર અને જિલ્લાની 170 ગ્રાન્ટેડ અને 11 સરકારી માધ્યમીક શાળાઓ સહિત સમગ્ર રાજ્યની હજારો શાળાઓને કરોડો પિયાના ખર્ચે સરકાર તરફથી પુસ્તકો આપવામાં આવશે. હાલ તુરત શાળાઓ પાસેથી આ માટે કોઈ પૈસા વસુલવામાં નહીં આવે પરંતુ રાજ્ય સરકારે પુસ્તક ખરીદી માટે એક અલગ હેડ ઉભું કર્યું છે અને હાલ સમગ્ર ખર્ચ તેમાં નાખી બાદમાં શાળાઓને મળતી ગ્રાન્ટમાંથી તે રકમ ક્પાત કરવાનું આયોજન કરાયું છે.
પસંદ કરાયેલા 67 પ્રકાશકોમાંથી 22 પ્રકાશકોએ પોતાના પુસ્તકોના સેટ રાજ્ય સરકાર મારફત જે તે શાળાઓને રવાના કરી દીધા છે. સરેરાશ 150 જેટલા પુસ્તકોનો સેટ બનાવવામાં આવ્યો છે. શાળા સંચાલકો માટે સૌથી મોટી સમસ્યા પરીક્ષાના સમયગાળામાં આવેલા પુસ્તકોનું શું કરવું ? તે છે. જો કે, જે શાળાઓ પાસે લાઈબ્રેરી કે પુસ્તકો રાખવા માટેના કબાટ નથી તેમના માટે તો આ સમસ્યા વધુ ગંભીર બની છે.