રાજકોટની કાઠી મહિલા પાસેથી તાંત્રિક વિધિના નામે 20 થી 30 તોલા જેટલું સોનું ઓળવી લીધા બાદ સોનું પચાવી પાડવા માટે કાઠી મહિલાની ઠંડે કલેજે હત્યા કરવામાં પકડાયેલા નરાધામ તાંત્રિકના ચાર દિવસના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયો હતો તેમજ ત્રણ સોની વેપારી અને એચ.ડી.એફ.સી. બેંકમાંથી 30 તોલા સોનું કબજે કર્યું હતું. વિગત એવી છે કે રાજકોટની ઇન્દુબા સામતભાઇ ખાચર (ઉ.વ. 40) નામની મહિલાની હત્યામાં થોડા દિવસો પહેલાં પાડોશી તાંત્રિક તુષાર કિશોર મકવાણા (ઉ.વ. 32)ની ધરપકડ કરાઇ હતી જેને તાંત્રિક વિધિના નામે મહિલા પાસેથી 25 થી 30 તોલા જેટલું સોનું પડાવ્યું હતું અને તે સોનું પરત ન આપવું પડે તે માટે તાંત્રિક વિધિ કરવા જવાના બહાને કારમાં લઇ જઇ આટકોટ પાસે ઠંડા કલેજે હત્યા કરી લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે ઓળવેલું સોનું કબજે કરવા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીએ રાજકોટની એચ.ડી.એફ.સી. બેન્કમાંથી ઘરેણાં ઉપર મેળવેલું 2.16 લાખનું ધિરાણના બદલામાં આપેલા બે હાર, કાનમાં પહેરવાના એરીંગ, માથાનો ટીકો કબજે કયર્િ હતા તેમજ ત્રણ અલગ-અલગ સોનીઓ પાસેથી પણ સોનાના આભૂષણોના ઢાળીયા મળી 30 તોલા જેટલું સોનું તથા કાર જસદણ પોલીસે કબજે કર્યું હોવાનું પી.આઇ. કોંઢીયાએ જણાવ્યું છે.