સસ્તા અનાજના વેપારીઓની રાયવ્યાપી હડતાલનો અતં આવ્યાની ગઈકાલે સત્તાવાર રીતે જાહેરાત કરાયા બાદ આજે વેપારીઓએ ઓનલાઈન પરમીટ સ્વીકારવાનું શરૂ કયુ છે પરંતુ આ હડતાલના કારણે સસ્તા અનાજના વેપારીઓમાં બે ભાગલા પડી ગયા હોવાનું સ્પષ્ટ્રપણે જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓએ સમાધાનમાં મહત્વની ભુમિકા ભજવી છે અને આ કારણથી ગુજરાતના અન્ય વેપારીઓ છંછેડાયા હોવાનું બહાર આવી રહ્યું છે.
સસ્તા અનાજના પરવાનેદારોના રાયવ્યાપી મહામંડળના પ્રમુખ તરીકે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદભાઈ મોદી છે જયારે ચેરમેન તરીકે રાજકોટના નરેન્દ્રભાઈ ડવ છે. વેપારીઓની હડતાલ સૌરાષ્ટ્ર્રમાં સડ રહી હતી પરંતુ કમીશનમાં વધારાની વાત સ્વીકારવાનું અને પુરવઠાની ફાળવણીમાં મુકાયેલો કાપ પાછો ખેંચી લેવાની મુખ્ય બે માગણીઓ સ્વીકારાતા સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓએ સમાધાન સ્વીકારી હડતાલ સમેટી લીધી છે.
કોઈપણ આંદોલન કે હડતાલ વખતે તેના સંગઠનના ટોચના હોદ્દેદારની ગેરહાજરીમાં કોઈ સમાધાન કે ચર્ચા ન થઈ શકે પરંતુ પ્રહલાદભાઈ મોદી સાથે વાતચીત કરવા ગાંધીનગર સ્થિત પુરવઠા વિભાગના મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તૈયાર ન હોવાથી પ્રહલાદભાઈને હાંસિયામાં ધકેલી નરેન્દ્રભાઈ ડવ સહિતના આગેવાનોએ સમાધાન કરી લીધું. એટલું જ નહીં તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેતા આ મુદ્દે સૌરાષ્ટ્ર્ર–ગુજરાતના વેપારીઓ વચ્ચે તડા ઉભા થયા છે. સસ્તા અનાજના વેપારીઓની કુલ સંખ્યામાં ૬૦ ટકા જેટલા સૌરાષ્ટ્ર્ર–કચ્છના અને ૪૦ ટકા ગુજરાતના વેપારીઓ છે. ગુજરાતના વેપારીઓને સમાધાન સ્વીકાર્ય ન હોવાથી નવેસરથી ગુજરાતમાં લડત શરૂ થાય તેવી શકયતા પણ નકારાતી નથી. જો લડત ચાલુ થશે અને સૌરાષ્ટ્ર્ર–કચ્છના વેપારીઓ એમાં સહકાર નહીં આપે તો હડતાલ કેટલી સફળ થશે ? તે સવાલનો જવાબ ભવિષ્યમાં મળશે. |