અધિક્ષક ઇજનેર તેજુરાના ઘરે એસીબીનો દરોડો: વધુ ા.17.53 લાખની અપ્રમાણસર મિલકત મળી
રાજકોટ પીજીવીસીએલમાં અગાઉ ફરજ બજાવતાં હાલ ભાવનગરના પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર તેજુરાના ઘરે એસીબીની ટીમે દરોડો પાડયો હતો. રાજકોટ અને ભાવનગર ખાતેના રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન ા.17.53 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવતાં એસીબીએ વધુ તપાસ શ કરી છે. સાણંદ ખાતે એક પ્લોટ પણ તેજુરાના નામે હોવાનું બહાર આવ્યું છે. મળતી વિગતો મુજબ, રાજકોટમાં અગાઉ પીજીવીસીએલમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતાં અનંત રાય ગીરધરલાલ તેજુરાને 15-11-2011ના રોજ એસીબીએ ા.50 હજારની લાંચ લેતાં ઝડપી લીધા બાદ બે દિવસ પૂર્વે એ.ડી.તેજુરાની અપ્રમાણસર મિલકત અંગે રાજકોટ એસીબીમાં ગુનો નોંધાયો હતો. તેજુરાની ા.24.28 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવ્યા બાદ એસીબીએ અલગ અલગ પાંચ ટીમ બનાવી રાજકોટ અને ભાવનગરમાં તપાસ શ કરી હતી.
હાલ ભાવનગરમાં અધિક્ષક ઇજનેર તરીકે પુન: ફરજ પર લેવાયેલા એ.ડી.તેજુરાના ભાવનગર અને રાજકોટ ખાતેના રહેણાંક મકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું. રાજકોટના સાધુવાસવાણી રોડ, રૈયા રોડના મકાન અને ફ્લેટ તેમજ ભાવનગર ખાતેના મકાનની જડતી દરમિયાન વધુ ા.17.53 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી જેમાં સાણંદમાં ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ નામની સાઇટમાં ા.3.75 લાખની કિંમતનો પ્લોટનો દસ્તાવેજ ઉપરાંત રહેણાંકમાં ફર્નીચર સહિત ા.13.78 લાખની વસ્તુઓ તથા દાગીના સહિત ા.17.53 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.