અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા બે દિવસમાં રાજકોટના બે શખસો જંગી રકમના સોના સાથે ઝડપાઇ જતાં કસ્ટમ ઉપરાંત પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે. કેન્દ્ર સરકારે આયાતી સોના પર ડયુટી વધારી છે તો બીજીતરફ રિઝર્વ બેંકે વિદેશથી સોનું આયાત કરવાની બેંકોને ના પાડી દેતાં હવે સૌરાષ્ટ્રના સોની વેપારીઓએ દુબઇથી સસ્તુ સોનું મંગાવવા કેરિયરની મદદ લેવાનું શ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. સોની વેપારીઓએ કેરિયર મારફત દાણચોરીની આખું નેટવર્ક ગોઠવ્યું હોવાનું બજારના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. છેલ્લા 20 દિવસમાં સોનાની દાણચોરીની આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. ગઇકાલે રાજકોટના એક વેપારીને ા.1.03 કરોડના સોના સાથે ઝડપી લેવામાં આવ્યા બાદ સત્તાવાર વર્તુળો આ દાણચોરીની જાળ ભેદવા માટે કવાયત કરી રહ્યા છે.
છેલ્લા ઘણાં દિવસથી સોનાના ભાવ તૂટયા છે. કેન્દ્ર સરકારે સોનાની આયાત ડયુટી ઉપર વધારો ઝીંકી દીધો છે તો બીજીતરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની નવી ગાઇડલાઇન પ્રમાણે સોનું આયાત કરવાનું બંધ કરી દીધું છે. ભારતમાં સોનાના દાગીના બનાવતા વેપારીઓ મોટાભાગે રિઝર્વ બેંક પાસેથી સોનું ખરીદતા હતા અથવા તો વિદેશથી સોનું મંગાવતા હતા. હાલના ભાવ ઘટાડા અને કેન્દ્ર સરકારના ડયુટીના વધારાને કારણે સોની વેપારીઓને ખોટ જતી હોય સસ્તુ સોનું ખરીદવા દુબઇથી કેરિયરની મદદથી સોનાની દાણચોરીનું નેટવર્ક શ કરવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા 20 દિવસમાં સોનાની દાણચોરીની ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. બે દિવસ પૂર્વે રાજકોટના પ્રફુલ્લ રાજપરાને બૂટમાં સંતાડેલા સોના સાથે કસ્ટમ વિભાગે ઝડપી લીધા બાદ ગઇકાલે રાત્રે 3-15 વાગ્યાના સુમારે દુબઇથી આવેલા રાજકોટના દિવ્યેશ ગાંધી નામના એક શખસને કસ્ટમ વિભાગે શંકાસ્પદ જણાતા ચેક કરતાં તે ા.1.03 કરોડની કિંમતના આશરે ત્રણ કિલો સોના સાથે ઝડપાઇ ગયો હતો. દિવ્યેશ ગાંધી દુબઇની ફલાઇટમાંથી આવ્યા બાદ તેની હેન્ડ એર બેગમાં સંતાડેલી ત્રણ કિલો સોનાની બાર મળી આવી હતી. દિવ્યેશ ફલાઇટમાંથી ઉતયર્િ બાદ કસ્ટમ વિભાગની ગ્રીન ચેનલમાંથી પસાર થતો હતો ત્યારે તેને સોનાની બાર બેગમાંથી કાઢી ખિસ્સામાં મુકવાનો પ્રયાસ કરતાં કસ્ટમ વિભાગની નજરે ચડી જતાં તેને ગ્રીનના બદલે રેડ સિગ્નલમાંથી પસાર થવાનું કસ્ટમ વિભાગે જણાવ્યું હતું અને તે ા.1.03 કરોડના સોના સાથે ઝડપાઇ ગયો હતો.
રાજકોટના બે શખસો દાણચોરી કરતા ઝડપાયાની ઘટના બાદ સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે દુબઇથી આયાત થતાં આ સોનાના નેટવર્કને શોધવા કસ્ટમ અને પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ શ કર્યો છે. સોનાની દાણચોરી ટેકસ બચાવવા માટે થાય છે. એક કિલો સોનાની દાણચોરી કરવાથી 2 લાખનો ટેકસ બચે છે જેથી સોનાની દાણચોરી વધી છે. રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશનના ભાયાભાઇ સાહોલીયાએ જણાવ્યું હતું કે, એકતરફ સોનાની આયાત ડયુટીમાં સરકારે વધારો કરી દીધો છે તો બીજીતરફ આરબીઆઇએ આયાતી સોનું વેચવાનું બંધ કર્યું છે આથી સોની વેપારીઓ હવે દુબઇથી આ રીતે સોનું મગાવે છે.
ભાયાભાઇ સાહોલીયાએ વધુમાં જણાવ્યું કે, કોઇપણ કેરિયરને આ નેટવર્કમાં સામેલ કરવામાં આવે છે જેને ટિકિટ ભાડુ તેમજ આ સોનું લાવવા માટે નકકી કરેલ રકમ આપવામાં આવે છે. એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગની નજર ચૂકવી દુબઇથી લાવવામાં આવેલા સોનાની દાણચોરી કેરિયર આ ગેરકાનૂની રસ્તો પસંદ કરે છે અને તે સોની વેપારીને આ સોનું વેચે છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ દાણચોરીના મુળ હોવાનું કસ્ટમ અને પોલીસ વિભાગ માની રહ્યું છે. દિવ્યેશ ગાંધી અને અગાઉ ઝડપાયેલા પ્રફુલ રાજપરાની પૂછપરછમાં સોની વેપારીઓના આ કેરિયર થકી ચલાવવામાં આવતા દાણચોરીના નેટવર્કમાં મહત્વની કડી મળે તેવી શકયતા છે.
|