સિદસરમાં આજથી મહોત્સવનો પ્રારભં થઈ રહ્યો હોય રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાંથી બહોળી સંખ્યામાં કડવા પાટીદાર સમાજનો પ્રવાહ સિદસર તરફ રવાના થઈ રહ્યો છે. દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓ પણ આજે સિદસર મહોત્સવમાં હાજરી આપવા જતાં રાજકોટ યાર્ડના અનાજ વિભાગની હરાજી આજે બધં રહી હોવાનું યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું.
જયારે શાકભાજી વિભાગમાં રાબેતા મુજબ હરાજી થઈ હતી.