મહાનગરપાલિકા દ્રારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચંદ્રેશનગરમાં નિર્માણ પામેલ ઈ.એસ.આર.–જી.એસ.આર. અને પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ તેમજ પાણીની પાઈપ લાઈનનું ખાતમુહર્ત ગુજરાતના પાણી પુરવઠા, જળસંપત્તિ, શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી નીતીનભાઈ પટેલના હસ્તે કાલે સવારે ૧૦ કલાકે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર જનકભાઈ કોટક ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.૧૪મા ચંદ્રેશનગર ખાતે સાંસદ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રમુખ ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને ભાનુબેન બાબરીયા, ભાજપના ભુતપુર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્રાજ, પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસ, મહામંત્રીઓ રાજભા ઝાલા, અનિલભાઈ રાઠોડ અને કશ્યપભાઈ શુકલ, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા અને ભીખાભાઈ વસોયા, બિલ્ડર એન.કે.પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી મેયર દીપાબેન ચીકાણી, શાસક પક્ષના નેતા રાજુભાઈ બોરીચા, વિપક્ષ નેતા કેયુરભાઈ મસરાણી, દંડક શામજીભાઈ ચાવડા, વોર્ડ નં.૧૪ના કોર્પેારેટરો દમયંતીબેન વરમોરા અને કાજલબેન સોંદરવા તથા પૂર્વ કોર્પેારેટર ડો.બટુકભાઈ પરસાણા ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન મ્યુનિ.કમિશનર અજય ભાદુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, વોટર વર્કસ કમિટીના ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર અને બાંધકામ કમિટીના ચેરમેન અરવિંદભાઈ રૈયાણીના માર્ગદર્શન હેઠળ થયેલ છે