મોરબીના પ્રસગં હોલમાં જુનાગઢથી પુત્રી પરણાવવા આવેલ સિંધી પરિવારની નજર ચુકવી ગઠીયા સાડા આઠ તોલાના સોનાના દાગીના રોકડ તથા બે પર્સ અને બે મોબાઈલ ભરેલ થેલો બઠાવી જતા હાફડા ફાફડા થઈ ગયેલ સિંધી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રા વિગતો અનુસાર જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલ રામજીનગરમાં રહેતા અને ઈલેકટ્રીકના સાધનોનો વ્યવસાય કરતા હરેશભાઈ ગુલાબરાય પહેલયાણી સિંધી લોહાણા ઉ.વ.૪૮ને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોય મોટી પુત્રી વનીતાના લ મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા જમનાદાસ શુભનારાજા ગ્વાલાણીના પુત્ર જયેશ સાથે નિરધારેલ હોય સિંધી પરિવારના સભ્યો મોરબી શનાળા રોડ પર આવેલ પ્રસગં હોલ ખાતે લવિધિ રાખેલ હોય સૌ કોઈ લવિધિમાં મશગુલ હતા તે દરમ્યા જે થેલામાં સોનાની બે બંગડી ૩૦ ગ્રામ ૨ સોનાના પાટલા ૪૦ ગ્રામ સોનાનો સેટ બુટી અને પેન્ડલ સાથે આશરે ૮૫ ગ્રામ તેમજ બે પર્સ જેમાં આશરે રૂા.૧૦૦૦ની રોકડ તથા બે મોબાઈલ હતા તે થેલો હરેશભાઈએ જૂનાગઢના જોષીપુરામાં આવેલ વિજયનગરમાં રહેતા મનિષાબેન લલીતભાઈ વાઘવાણીને સાચવવા આપેલ પરંતુ લવિધિમાં મશગુલ મનિષાબેન વાઘવાણીની નજર ચુકવીને અજાણ્યો ગઠીયો સોના–ચાંદીના દાગીના, રોકડ તથા બે પર્સ અને બે મોબાઈલ મળી ચોરી થયા અંગેની ફરિયાદ હરેશભાઈએ મોરબી પોલસમાં નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ડી સ્ટાફના જવાનોએ મોબાઈલ લોકેશન આધારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મોરબી પોલીસે સાડા આઠ તોલાના દાગીનાની રૂા.૯૦ હજારની ચોરીની નોંધ કરી છે. જયારે વર્તમાન બજાર કિંમત અનુસાર જોતા રૂા.બે લાખથી વધુની ચોરી થઈ હોવાની ચર્ચા ભોગ બનનારના પરિવારજનોમાં થતી હતી. બનાવ જોતા પ્રસંગમાં આવેલ કોઈ જાણભેદુનું જ પરાક્રમ હોવાનું દેખાય રહ્યું છે.