ગોંડલની પરિણીતાએ મુંબઇમાં ત્રણ અધિકારીઓના ત્રાસથી આપઘાત કર્યેા
મુંબઇના થાણે જીલ્લાના વિસ્તારમાં રહેતી તાજેતરમાંજ જેના લ ગોંડલ થયા હતા તેવી મુસ્લીમ યુવતીએ નાયમ તહસિલદાર અને અન્ બે અધિકારીઓ દ્રારા બ્લેકમેઇલીંગનો ભોગ બની આખરે જાત જલાવી આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઇ છે.
પ્રા વિગતો મુજબ ગોંડલનાં ભગવતીપરામાં રહેતા અને ટ્રાન્સ્પોર્ટનો વ્યવસાય કરતા ઘાંચી આશીફ નુરમામદ લુલાણીયાના લ ગત તા.૧૭૧૧૧૧ ના રોજ મુંબઇ જવ્હારમાં રહેતી નજમાબેન જીકરભાઇ લુલાણીયા સાથે ધામધૂમ પૂર્વક થયા હતા. નજમાબેન ત્યાંની તહસીલદાર કચેરીમાં હંગામી ધોરણે નોકરી કરતી હતી. ત્ારબાદ જવ્હાર આરોગ્ય વિભાગમાં નોકરી શરૂ કરી હતી.
નજમાનો પરિવાર આણું વાળી તા.ર૩ના તેને મુંબઇ લઇ ગયો હતો. દરમિયાન માતા અને ભાઇભાભીનાં પરિવાર સાથે રહેલી નજમાએ પોતાના ઘરે તા.૮૧૧ર ના શરીર ઉપર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા જવાહરની કુટીર હોસ્પીટલમાં દાખલ કરી હતી. પરંતુ ગંભીર હાલત હોય વધુ સારવાર માટે મુંબઇની કસ્તુરબા હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જયાં આઠ દિવસ બાત તા.૧૬૧૧રના સારવાર કારગત ન બનતા નજમાએ દમ તોડયો હતો.
નજમાની આત્મ હત્યા પાછળનું કારણ કંપાવનારૂ અને ત્રણ જેટલા અધિકારીઓની હેવાનીયત છતું કરતુ અતિકરૂણ હતું. મૃતકના પતિ આશીફના જણાવ્યા અનુસાર નજમાં જયાં નોકરી કરતી હતી ત્યાં નાયબ તહસીલદાર નંદકુમાર ખાડે, આરોગ્ય વિભાગના વશીફ શેખ, તથા વિશાલ ખપેકર સાથે નજમાને પરીચય થયો હતો. સાથે નોકરી કરતા હોય આ પરીચય સહજ હતો. પરંતુ ત્રણે અધિકારીઓએ નજમાના મોબાઇલ ઉપર એસએમએસ મોકલી તેમજ વારંવાર ફોન કરી હેવાનીયત ઉપર ઉતરી આવશે તેવી કલ્પના પણ નજમાને ન હતી. નજમા પરેશાન હતી. નંદકુમાર ખાડે સહિતનાં ભાન ભૂલી હલકાઇ ઉપર ઉતરી આવ્યા હોય તેમ નજમાના ૫તિને પણ એસએમએસ મોકલવાનું શરૂ કર્યુ. નજમાને એસએમએસ દ્રારા પતિને છોડી પાછા આવી જવા જણાવ્યું. તેઓ ઇચ્છતા હતા કે નજમાને તેના પતિ સાથે જગડા થાય અને લજીવન વેરવિખેર બને. સતત બ્લેક મેઇલીંગથી નજમા માનસીક રીતે તુટી ચુકી હતી. પતિ અને પરીવાર પાસે તેની બદનામી થઇ રહી હતી. આખરે નિર્દેાષ નજમાએ અગનપછેડી ઓઢી આત્મહત્યા કરી લીધી. મૃત્યુ પહેલા તેણે પોલીસ બયાનમાં નાયબ તહસીલદાર નંદકુમાર ખાડે, વશીફ શેખ અને વિશાલ ખપેકર દ્રારા કરાયેલ હેરાનગતી અને બ્લેકમેઇલીંગ અંગે સીલસીલા બધ્ધ હકિકતો જણાવી સ્યુસાઇટ નોટ પણ લખી હતી. જેમાં આ ત્રણેય અધિકારીઓના ત્રાસ હોય કંટાળી જઇ આત્મહત્યાનું પગલુ ભરૂ છું તેવુ જણાવ્યુ હતું.
બનાવ બાદ પોલીસે ફરિયાદ લેવામાં આનાકાની કરતા આખરે મુસ્લીમ સમાજે એસ.પી.રાજેશકુમાર મોર નો સંપર્ક કરી ફરીયાદ લખાવી હતી. આ દરમિયાન નંદકુમાર ખાડે સહિતનાં ફરાર થઇ ગયા હતાં. નંદકુમાર ખાડે, વશીફ શેખ અને વિશાલ ખપેકરને તા.૧૭ર૧ર સુધીના આગોતરા જામીન મળ્યા છે.