જેતપુરના અમરનગરની મુસ્લિમ પરિણીતાનું બાઈક પરથી પડી જતાં મોત
જેતપુરના અમરનગર ગામે રહેતી મુસ્લિમ પરિણીતા વાવડી ગામે લ પ્રસંગમાં રસોડાનું કામ પુરૂ કરી ગામના કંદોઈ યુવાનના બાઈક પર પરત અમરનગર આવતા બાઈક પાછળથી પડી જતાં માથામાં ઈજા થતા તેનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજયું છે.
બનાવ અંગેની વિગત મુજબ જેતપુરના અમરનગર ગામે રહેતી નજમાબેન કાળુભાઈ સુમરા ઉ.વ.૩૦ નામની મુસ્લિમ પરિણીતા લ પ્રસંગમાં રસોડાનું કામ કરતી હોય ત્યારે ગત તા.૭૨ના રોજ અમરનગર ગામે રહેતા અરજણભાઈ કંડોલીયા નામના કંદોઈએ વાવડી ગામે લ પ્રસંગમાં રસોડાનું કામ રાખેલ હોય જેમાં નજમાબેન કામ કરવા ગઈ હતી અને પરત આવવા માટે અરજણભાઈ કંદોઈના બાઈક પાછળ બેસીને આવી હતી ત્યારે વાવડીથી જેતપુર રોડ પર બાઈક પાછળથી નજમાબેન પડી જતા માથામાં ઈજા થતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેનું ગઈરાત્રીના સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજયું હતું. બનાવની જાણ પોલીસને કરતા પોલીસે પ્રાથમીક કાગળો તૈયાર કરી લાશને પીએમ રૂમ પર ખસેડી છે.