Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 

તામસી અને ઝનુની સ્વાભાવના પિતા સામે અંતે ખૂનનો ગુનો નોંધાયો

     
 

રાજકોટ જિલ્લાના જસદણ તાબેના બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમમાં ફલ જેવા બે માસૂમ બાળકોને ફેંકી દઇ હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં અંતે પોલીસે તામસી અને ઝનુની સ્વભાવના પિતા સામે ખૂનનો ગુનો નોંધી લાપત્તા હજુ એક બાળકની લાશ શોધવા તપાસ ચાલુ રાખી છે. બીજી બાજુ તામસી સ્વભાવના કોળી યુવાનની પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના પોલારપર રોડ ઉપર રહેતાં બેકાર તેમજ ઝનુની અને તામસી સ્વભાવના પ્રભાત ઉર્ફે કનુ ઘોઘાભાઇ સરવૈયા નામનો યુવાન ગત તા.૨–૨ને ગુરૂવારના રોજ પોતાના બે માસૂમ પુત્રો પ્રકાશ (ઉ.વ.૧૨) અને આકાશ (ઉ.વ.૯)ને પોતાની સાથે જસદણના બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમ પર લઇ ગયો હતો યાં બન્ને પુત્રોને તામસી સ્વભાવના પ્રભાતે ડેમમાં ફેંકી દીધા હતાં અને જાણે કશું જ બન્યું ન હોય તે રીતે ઘટનાસ્થળેથી નીકળી ગયો હતો.
આ બનાવની પોલીસને જાણ થતાં જસદણના પીઆઇ એન.કે.વ્યાસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ આલણસાગર ડેમમાંથી ૭ વર્ષના માસૂમ બાળક પ્રકાશના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો યારે લાપત્તા ૧૦ વર્ષના માસૂમ બાળક આકાશનો મૃતદેહ શોધવા માટે સતત એક સાહથી તરવૈયાઓની બે ટુકડી આલણસાગર ડેમ ફેંદી રહી છે.
બીજી બાજુ આ ઘટના સંદર્ભે મુળ ભાડલાના અને હાલ જસદણ નવા માર્કેટ યાર્ડ પાસે રહેતાં લવજીભાઇ ઘોઘાભાઇ સરવૈયાની ફરિયાદ પરથી જસદણ પોલીસે તામસી અને ઝનુની સ્વભાવના પ્રભાત ઉર્ફે કનુ ઘોઘાભાઇ સરવૈયા સામે બન્ને પુત્રોની હત્યા કરવા અંગેનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

જસદણના વેરાવળ ગામે લના નવ દિવસ પહેલા યુવતીનો આપઘાત

જેતપુરના હોલસેલ અનાજ ભંડારમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી

  શાપર–વેરાવળ કારખાનેદારને ટ્રાન્સપોર્ટરે ૨૩ લાખનો ચુનો લગાવ્યો
  જેતપુરના અમરનગરની મુસ્લિમ પરિણીતાનું બાઈક પરથી પડી જતાં મોત
  તામસી અને ઝનુની સ્વાભાવના પિતા સામે અંતે ખૂનનો ગુનો નોંધાયો
  જેતપુરના હોલસેલ અનાજ ભંડારમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી
  મોરબીમાંથી ૮૬ હજારની ડુપ્લીકેટ સીડી, ડીવીડી સાથે દુકાનદારની ધરપકડ
  જસદણ પંથકના સાણથલી–વાસાવડ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થઈ !
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.