Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૨૪/૦૫/૨૦૧૩ (શુક્રવાર)
 
મોરબી-ટંકારા હાઈ-વે પર બસ પલટી જતાં બેન્ક મેનેજર સહિત ત્રણના મોત
 
 
 
Top of page

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે આવેલ ડેમી નદીના બારનાલા પાસે ગત મોડીરાત્રે ખાનગી મીની લકઝરી બસે પલ્ટી મારતા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજયાં હતાં. જયારે ચાર વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચાર વ્યક્તિ પૈકી એકની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે રાજુલાના કસ્ટમની કારના ડ્રાઈવરનું અકસ્માતમાં મૃત્યુ નિપજયું છે ત્યારે અકસ્માતના બીજા બનાવમાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ નિપજયું છે. ગઈ મોડી રાત્રે આ બનાવ બન્યાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને તપાસ હાથ ધરી હતી તથા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના રાજકોટથી નીકળી મોરબી તરફ જતી ખાનગી મીની લકઝરી બસ નં.જી.જે.3-વાય-628 ટંકારાથી આગળ વધી ધ્રૂવનગર ગામના બારનાલા પાસે પહોંચી હતી ત્યારે બસે એકાએક પલ્ટી મારી હતી. બસે અચાનક પલ્ટી મારતા મુસાફરોમાં દેકારો મચી ગયો હતો અને લોકો બસની નીચે દબાયેલા ક્લિનર સહિતના લોકોને બહાર કાઢવા માટે પ્રયત્નો શ કયર્િ હતાં તથા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. રાજકોટથી મોરબી તરફ આવતી ખાનગી મીની બસ પલ્ટી મારી જતાં કુલ ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજયાં છે. જેમાં બે વ્યક્તિ મોરબીના તેમજ એક વ્યક્તિ રાજકોટનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં રાજકોટમાં કાલાવડ રોડ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે રહેતા મીતેશ કમલેશભાઈ દવે ઉર્ફે કાનો (ઉ.વ.27)નું મૃત્યુ નિપજયું છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાનને મોરબીમાં મહાદેવ ટ્રાન્સપોર્ટ નામે બીઝનેશ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોરબીમાં જ શનાળા રોડ ખાતે રહેતા નવીનભાઈ ભાણજીભાઈ મોચી (ઉ.વ.51) તથા શનાળા રોડ કિર્તી એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીની આંધ્રાબેંકના મેનેજર અમીતપ્રીય રંજનપ્રસાદ (ઉ.વ.28)નું સારવાર દરમિયાન મૃત્યું નિપજયું છે.
અકસ્માતમાં ઘટના સ્થળે મૃત્યુ પામેલ મિતેશભાઈ તથા નવીનભાઈના મૃતદેહને પીએમ અર્થે ટંકારા હોસ્પિટલ માટે ખસેડાયા છે. જયારે બરકત અમીર સહિતના ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બસે અચાનક પલ્ટી મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અંગેની વધુ તપાસ પીએસઆઈ સરવૈયા ચલાવી રહ્યાં છે.

 
fpS>L$p¡V il¡f$_p AÞe kdpQpfp¡
 

 

fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.