મોરબીમાં તખતસિંહજી રોડ પર આવેલી દુકાનમાં ભરેલ કબજે દુકાન ખાલી કરાવવા ધમકી આપી આતકં મચાવનાર ત્રણ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય શખસો પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. બીજી તરફ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે તખતસિંહજી રોડ પરના વેપારીઓએ આજે સ્કૂટર રેલી કાઢી વિરોધ પ્રદર્શન કયુ હતું.
મળતી વિગતો મુજબ, મોરબીના તખતસિંહજી રોડ ઉપર દુકાન ખાલી કરાવવાના મુદ્દે વેપારી અને લુખ્ખાઓ વચ્ચે જામી પડી હતી અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હોય બનાવના ત્રણ દિવસ બાદ જેની સામે ફરિયાદ નોંધાઇ હતી તે દુકાન ખાલી કરાવવા ધમકી આપનાર દિનેશ પંડયા, ગિરીરાજસિંહ જાડેજા અને ગુલામ ઘાંચી પોલીસ શરણે થતાં તેની પોલીસે ધરપકડ કરી હતી.
તખતસિંહજી રોડ પરના વેપારીઓએ ઝડપાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે ગઇકાલે હુમલાનો ભોગ બનેલા વેપારીના સમર્થનમાં સ્કૂટર રેલી કાઢી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરવા પણ માગ કરવામાં આવી હતી.
|