સૌરાષ્ટ્ર્રના રાજકારણમાં માટે ચર્ચાસ્પદ બનેલા જસદણના મોઢુકા ગામે ચારેક વર્ષ પહેલા તત્કાલીક પીઆઈ સુખદેવસિંહ ઝાલા સહિતના પોલીસ બાતમીદાર ભાજપ કાર્યકર રહીમ આમદ લોહીયાની ભડાકા કરીને થયેલી હત્યાના ગુનાનો મોઢુકાના બે કોળી શખસો સામેનો કેસ ચાલી જતાં અદાલતે મુખ્ય આરોપી ગોરદન ખીમા કોળીને ૪ વર્ષની કેદ અને રૂા.૫૦૦૦ દંડનો તેમજ બીજા આરોપીને નિર્દેાષ છોડી મુકવા હુકમ કર્યેા છે.
પ્રા વિગતો મુજબ રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ બનાવમાં જસદણના મોઢુકા ગામે તા.૨૩–૭–૦૭ના રોજ ભોળા માવજીની પાનની દુકાનમાં પોલીસ બાતમીદાર રહીમ આમદ લોહીયા ઉપર ગોરધન ખીમા કોળી અને ભૂપત ભવાન નામના બે શખસોએ તમંચામાંથી ફાયર કરીને ગંભીર ઈજા પહોંચાડતાં તેનું ૧૨ દિવસની સારવાર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ બનાવમાં ફરિયાદ પાનના દુકાનદાર ભોળા માવજી કોળીએ નોંધાવી હતી. બનાવના કારણમાં મોઢુકામાં કોળી યુવતી ઉપર બળાત્કાર ગુજારવા બાબતે ગોરધન ખીમા કોળી અને તેના બે પુત્રો સામે ગુનો નોંધાયો હતો. તેમા રહીમ લોહીયાએ ફરિયાદ પક્ષે ભારે રસ દાખાયો હોવા ઉપરાંત રહીમ લોહીયા તત્કાલીન પીઆઈ સુખદેવસિંહ ઝાલા સહિતના પોલીસ બાતમીદાર અને ભાજપના કાર્યકર હોય સામે પક્ષે ગોરધન ખીમાભાઈ કોળી કોંગ્રેસનો કાર્યકર ઉપરાંત તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના ટેકેદાર હોઈ કુંવરજીભાઈના ઈશારે હુમલો થયો હોવાનું દર્શાવાયું હતંુ. જસદણ પોલીસે આ બનાવ અંગે તપાસ કર્યા બાદ બન્ને શખસો ગોરધન ખીમાભાઈ કોળી (રહે.મોઢુકા) અને ભુપત ભવાન કોળી (રહે.બંધણી) સામે ચાર્જશીટ મુકયું હતંુ. જે અંગેનો કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતાં અદાલતે ૩૭ સાક્ષી તપાસ્યા હતાં. ત્રણ ડોકટર, હથિયાર નિષ્ણાત,૪ નજરે જોયા સાહેદ અને ૧૪ પંચને તપાસાયા બાદ જોઈન્ટ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ ડી.ડી.રાજપૂતે આ કેસમાં આરોપી ગોરધન ખીમાભાઈ કોળીને કલમ ૩૦૨નો ગુનોના સાબિત માજા અને કલમ ૩૨૬ના ગુનામા તકસીરવાર ઠરાવીને ચાર વર્ષથી કેદ અને રૂા.૫૦૦૦ દંડ, દડં ન ભરે તો વધુ બે માસની કેદ તેમજ બીજા આરોપી ભુપત ભવાન (રહે. બંધણી)ને નિર્દેાષ છોડી મુકવા હુકમ કર્યેા હતો.
આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી. તરીકે જૂનાગઢના ધારાશાક્રી ડાયાભાઈ કરકર રોકાયા હતાં. જયારે બચાવ પક્ષે વકીલ દીપકભાઈ ત્રિવેદી રોકાયા હતાં
આ બનાવ સંદર્ભે એક તબકકે કુંવરજીભાઈએ આગોતરા જામીન મેળવ્યાં હતાં
પોલીસ બાતમીદાર રહીમ આમદ લોહીયાની થયેલી હત્યાના બનાવ સંદર્ભે અગાઉ ગંભીર ઈજાગ્રસ્ત રહીમ લોહીયાએ તેના ડી.ડી.માં તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના ઈસારે હત્યા થયાના મતલબની શંકા વ્યકત કરી હોય. કુંવરજીભાઈએ હાઈકોર્ટમાં અરજી કરીને આગોતરા જામીન મેળવ્યા હતાં પરંતુ પોલીસની તપાસમાં કુંવરજીભાઈ બાવળીયા સામે પુરાવો નહીં મળતા અદાલતની સુચનાથી તેમનું નામ ચાર્જશીટમાં મુકાયું ન હતંુ